એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇED) એ શુક્રવારે વિદેશી વિનિમય કાયદાના કથિત ઉલ્લંઘન બદલ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલના પરિસરની તલાશી લીધી હતી. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે દિલ્હી અને મુંબઇના પરિસરની તલાશી લેવામાં આવી હતી.
તેમણે કહ્યું કે આ વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (ફેમા) હેઠળ આ જડતી લેવામાં આવી હતી. અને તેનો હેતુ વધારાના પુરાવા એકત્રિત કરવાનો હતો. જેટ એરવેઝ રોકડની કટોકટી બાદ 17 એપ્રિલથી કાર્યરત નથી.
સૂત્રોએ જુલાઈમાં જણાવ્યું હતું કે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયની તપાસમાં કંપનીના ભંડોળને આઘું પાછું કરવા અને બહુ મોટા પાયે અનિયમિતતા બહાર આવી છે. ગોયલે માર્ચમાં કંપનીનું અધ્યક્ષ પદ છોડ્યું હતું. કંપની હાલમાં દેવળીયા અને ઇન્સોલ્વન્સી ડિસેબિલિટી કોડની પ્રક્રિયામાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.