કોરોના કેસ મામલે વિશ્વમાં ભારત પ્રથમ સ્થાને છે દેશમાં કોરના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે.દેશની ગંભીર અને ભયાવહ સ્થિતિ હોવાથી અમીરાત એરલાઇન્સે ભારત અને દુબઇની ફલાઇટ 10 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
દુબઇ અને ભારતમાં અમીરાતની ફલાઇટો 25 એપ્રિલ થી આગામી 10 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ભારતમાં કોરોના કેસોની સંખ્યા દતાં આ નિર્ણય લેવાયો છે. પણ ભારત સરકારે વિમાન અવરજવર પર કોઇ પાંબદી લગાવી નથી.
ઉલ્લેખનીય છે કે બારતમાં કોરોના કેસોના વધતાં કેસોના લીધે અનેક દેશોએ ભારતીય પ્રવાસીઓની એન્ટ્રી પર રોક લગાવી દીધી છે.અમીરાત એરલાઇન્સ મેનેજમેન્ટે ભારતમાં 10 દિવસ સુધી ફલાઇટ બંધા રાખી છે
