મુંબઇ,
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને નિર્દેશક આશુતોષ ગોવારિકરની આગામી ફિલ્મ ‘પાનીપત’નું શૂટિંગ શરૂ થઇ ગયું છે.અર્જુને શુક્રવારે ઇન્સ્ટ્રાગ્રામ પર એક પોસ્ટ કરતા લખ્યું, “આશુતોષ સર અને અમારી ટીમ સાથે … એક એવી શાનદાર મુસાફરીની શરૂઆત જે પહેલાં ક્યારેય થઇ નથી.” એક્ટ્રેસ કૃતિ સેનન ફિલ્મમાં અર્જુન કપૂર સાથે દેખાશે. કૃતિ પણ ફિલ્મનું શૂટિંગ શરૂ થયા પર ખુબ જ ખૂબ ઉત્સાહિત છે.
કૃતિ સેનનએ શૂટીંગ શરૂ થતાં પહેલાં સોશિયલ મીડીયામાં શૂટીંગના રોમાંચ વિશે લખ્યું હતું. કૃતિએ કહ્યું, “અમારી પાનીપતની યાત્રા આજેથી શરૂ થાય છે. આ ધમાકેદાર મુસાફરી માટે ઉત્સાહિત છું. બે દિવસ પછી તમારી લોકો સાથે જોડાઈ જઈશ.. પાનીપતનું શુટિંગ શરુ થાય છે..”
હિન્દી સાહિત્યકાર અશોક ચક્રધરે ‘પાનીપત’ નાં સંવાદો લખેલાં છે. ફિલ્મમાં બતાવામાં આવશે કે પાનીપતનું ત્રીજું યુદ્ધ કેમ થયું. ફિલ્મનું મેકિંગ સુનીલ ગોવારિકરની વિઝન વર્લ્ડના સહયોગીથી તેના હોમ પ્રોડકશન એજીપીપીઅએલ હેઠળ કરી રહી છે.
ફિલ્મ છ ડિસેમ્બર, 2019 ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં સંજય દત્ત પણ છે.ઉલ્લેખનીય છે કે અરબાજ ખાનથી અલગ થયા પછી હવે મલાઈકાએ અર્જુન કપૂર સાથે નિકટતા વધારી દીધી છે.