પોતાના નિવેદન અને ટ્વીટ દ્વારા હંમેશા ચર્ચામાં રહેતા ઋષિ કપૂરે વધુ એક વિવાદમાં સપડાયા છે. ઋષિ કપૂરે દીકરા રણબીર કપૂરની ફિલ્મો “જગ્ગા જાસૂસ” અને “બોમ્બે વેલ્વેટ” ફ્લોપ થવાને કારણે ડિરેક્ટર્સ અનુરાગ બાસુ અને અનુરાગ કશ્યપને આડે હાથે લેતા વાંદરાં જેવા કહી દીધા હતા.
ઋષિ કપૂર નેહા ધૂપિયાના શો ”નો ફિલ્ટર નેહા”માં ગયા હતા. જ્યાં તેઓએ જગ્ગા જાસૂસ અને બોમ્બે વેલ્વેટ ફ્લોપ થવાને કારણે આ બંને ડિરેક્ટર પર ગુસ્સો ઉતાર્યો હતો. ઋષિ કપૂરે શોમાં જણાવ્યું હતું કે અનુરાગ, એક અનુરાગ કશ્યપ છે. જેણે બોમ્બે વેલ્વેટ બનાવી. તેણે ગેગ્સ ઑફ વાસેપુર જેવી સારી ફિલ્મ પણ બનાવી પરંતુ લોકો બોમ્બે વેલ્વેટન સમજી ન શક્યા. મને ખૂબ ગમ્યું જ્યારે મારા દીકરાને બરફી માટે પસંદ કરવામાં આવ્યો. તે રણબીર માટે ઘણી મહત્વની સાબિત થઈ પરંતુ ત્યાર બાદ આવેલા જગ્ગા જાસૂસ કે ગજ્જા જાસૂસ તે એકમદ બકવાસ છે.
વધુમાં જણાવતા કપૂરે જણાવ્યું, આ બંને ડિરેક્ટર પોતાની ફિલ્મમાં વધારે ઘૂસી ગયા હતા. તેઓ સીમિત બજેટમાં સારી ફિલ્મ બનાવી શક્યા હોત. આ ડિરેક્ટરને મોટું બજેટ આપવું તે વાંદરાના હાથમાં રમકડું આપવા જેવી ઘટના છે.