Not Set/ સલમાનની મુશ્કેલીઓ વધી : લવરાત્રિ ફિલ્મ મુદ્દે હાઇકોર્ટ માં પી.આઈ એલ

આગામી 5મી ઓક્ટોબરે બૉલીવુડ એક્ટર સલમાન ખાનના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી લવરાત્રિ નામની બૉલીવુડ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. જેમાં કેટલાક ડાયલોગ અને તેના ગીત અને ખાસ તેના ફિલ્મના ટાઇટલ ને લઈને ફિલ્મ અત્યારથી જ ખુબજ વિવાદિત બની ગઈ છે. સલમાન ખાન ની લવરાત્રિ ફિલ્મ ને કારણે એક સમાજની લાગણી ને અસર પહોંચી છે. અને […]

Top Stories Gujarat

આગામી 5મી ઓક્ટોબરે બૉલીવુડ એક્ટર સલમાન ખાનના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી લવરાત્રિ નામની બૉલીવુડ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. જેમાં કેટલાક ડાયલોગ અને તેના ગીત અને ખાસ તેના ફિલ્મના ટાઇટલ ને લઈને ફિલ્મ અત્યારથી જ ખુબજ વિવાદિત બની ગઈ છે.

સલમાન ખાન ની લવરાત્રિ ફિલ્મ ને કારણે એક સમાજની લાગણી ને અસર પહોંચી છે. અને તેથી જ ગત બુધવારે અમદાવાદના સનાથન ફાઉન્ડેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ થઇ હતી.

જેની પર આજે ફરી એક વાર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાતા અજરદાર ના વકીલ તરફથી કેટલીક રજૂઆતો કરાઈ હતી. જેને કોર્ટે માન્ય રાખીને હાઇકોર્ટે એવો હુકમ જાહેર કર્યો હતો કે આવતી કાલે એટલે 20મી સપ્ટેમ્બરે હાઇકોર્ટ આ ફિલ્મને જોશે અને ત્યારબાદ આગળ નિર્ણય લઈને પોતાનો હુકમ જાહેર કરશે.