અભિનેત્રી આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ના પ્રકાશન પછી આવતા વર્ષે દિવાળીમાં રિલીઝ થવા માટે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી એક બીજા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘બૈજુ બાવરા’ ની યોજના બનાવી રહ્યા છે.
ભણસાલી પ્રોડક્શને તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફિલ્મની ઘોષણા કરી અને તેને ડિરેક્ટરનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાવ્યો.
સંજય લીલા ભણસાલીએ જણાવ્યું હતું કે તેમની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 11 સપ્ટેમ્બર 2020 ના રોજ રીલિઝ થશે અને આ પછી, તે દિવાળી 2021 માં ‘બૈજુ બાવરા’ રિલીઝ કરશે. સમાચારો અનુસાર, આ ફિલ્મ સંગીતના દિગ્ગજના બદલાની વાર્તા પર આધારિત હશે. ફિલ્મની કાસ્ટની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી.
આ પહેલા સંજય લીલા ભણસાલી સલમાન અને આલિયા સાથે ઇંશાલ્લાહ બનાવી રહ્યા હતા પરંતુ કેટલાક કારણોસર આ ફિલ્મ બની શકી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.