ભારત સહિત 180 થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો કહેર છે. અત્યાર સુધીમાં 3.68 કરોડથી વધુ લોકો આ ચેપથી પ્રભાવિત થયા છે. આ વાયરસથી 10.68 લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં જીવ લીધા છે. ભારતમાં પણ કોરોનાનાં કેસો દરરોજ વધી રહ્યા છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા લગભગ 70 લાખ સુધી પહોંચી ગઈ છે.
આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં ચેપગ્રસ્ત કોરોની સંખ્યા 69,79,423 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 73,272 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 82,753 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સમય દરમિયાન દેશમાં 926 કોરોનાનાં દર્દીઓ સંક્રમણથી મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં કુલ 59,88,822 દર્દીઓ ઠીક થઇ ચુક્યા છે. 1,07,416 લોકો મૃત્યુ પામ્યા છે. 8,83,185 સક્રિય કેસ છે. રિકવરી દર વિશે વાત કરીઓ તો તે થોડો વધારો થયા પછી 85.8 ટકા પર પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટ 6.29 ટકા છે. મૃત્યુ દર 1.53 ટકા છે. 9 ઓક્ટોબરનાં રોજ, 11,64,018 કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,57,98,698 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
India reports a spike of 73,272 new #COVID19 cases & 926 deaths in the last 24 hours.
Total case tally stands at 69,79,424 including 8,83,185 active cases, 59,88,823 cured/discharged/migrated cases & 1,07,416 deaths: Union Health Ministry pic.twitter.com/U98L9xhHH8
— ANI (@ANI) October 10, 2020
નોંધનીય છે કે ભારત અમેરિકા પછી બીજા ક્રમે સૌથી વધુ ટેસ્ટ કરનાર દેશ છે, જોકે ભારતની વસ્તીને જોતા, પ્રતિ 10 લાખ ટેસ્ટ દીઠ ટેસ્ટની સંખ્યા હજી ઘણી ઓછી છે. ભારતમાં કોરોનાથી સૌથી અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. કોરોનાનાં કેસો ત્યાં 15 લાખને વટાવી ગયા છે. અહી 2.36 લાખ સક્રિય કેસ છે. દેશનાં લગભગ તમામ રાજ્યોમાંથી કોરોના દર્દીઓનાં કેસ સામે આવ્યા છે. એવા ઘણા રાજ્યો પણ છે જે આ રોગચાળાથી મુક્ત હતા, પરંતુ કોરોનાની કથિત બીજી લહેર પછી, તે રાજ્યોમાં ફરી એકવાર કોરોનાનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.