મુંબઇ,
બોલિવૂડના સૌથી રોમેન્ટિક કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્નના બંધનમાં બંધાયા પછી તેમના રિસેપ્શન પાર્ટીમાં વ્યસ્ત છે. પરંતુ રણવીર અને દીપિકાના લગ્ન વિશે એક મોટો સમાચાર મળી રહ્ય છે. મીડિયા અહેવાલો અનુસાર, રણવીર-દીપિકાને ફરી લગ્ન કરવા પડી શકે છે. જી હા!! ઇટાલીમાં થયેલ રણવીર-દીપિકાના લગ્ન ભારત માન્ય નથી.
તાજેતરમાં, હરિયાણા હાઈ કોર્ટના વકીલ હેમંત કુમારે એક આરટીઆઈ દાખલ કરી છે. જેના જવાબમાં, તેવું જાણવા મળ્યું છે કે અત્યાર સુધી રણવીર-દીપિકાના લગ્ન રજીસ્ટર થયા નથી. આપને જણાવી દઈએ કે કોઈપણ દેશમાં લગ્ન કર્યા પછી, તે દેશના દૂતાવાસને લગ્નની માહિતી લેખિતમાં આપવી પડે છે, પરંતુ અહેવાલો અનુસાર, દીપિકા-રણવીરએ આવુ કંઈ કર્યું નથી.
ફોરેન લગ્ન અધિનિયમ, 1969 મુજબ, જે દેશમાં લગ્ન કરી રહ્યા છે ત્યાના દૂતાવાસે તેને તે લેખમાં માહિતી આપવા જરૂરી છે. આ કારણે, કપલને ફરી લગ્ન કરવા પડી શકે છે. નોંધાયેલા આરટીઆઈના જણાવ્યા પ્રમાણે, નોંધણી મેળવવા માટે ફરી એક વાર લગ્ન કરવાના રહેશે. હવે એ જોવું રહ્યું કે રણવીર અને દીપિકા આ લગ્નની નોંધણી કરાવે છે.