અભિનેતા સુશાંત સિંહને ગુનાની સત્ય ઘટનાઓ પર આધારીત ‘સાવધાન ઇન્ડિયા’ નામના કાર્યક્રમમાંથી બહાર કરવામાં અવાય છે. તે આ કાર્યક્રમને હોસ્ટ કરતા હતા. દેશના ઘણા ભાગોમાં નાગરિકત્વ (સુધારા) અધિનિયમ, 2019 નો બહોળા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે. અભિનેતા સુશાંત સિંહ મુંબઇમાં આ કાયદાના વિરોધમાં જોડાતા જોવા મળ્યા હતા અને તેથી જ તેને શોમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
આ સમાચારને મંગળવારે ટ્વિટર પર શેર કરતા સુશાંતે લખ્યું કે, “ઓર સાવધન ઇન્ડિયા કે સાથે મેરા બંધન અહીં ખત્મ હોતા હૈ.”
એક ટ્વિટર યુઝરે તેમને પૂછ્યું, “શું તમે સત્ય બોલવાની કિંમત ચૂકવી રહ્યા છો?”
તેના જવાબમાં સુશાંતે લખ્યું, “એક બહુ જ નાની કિંમત મારા દોસ્તો! નહીં તો હું ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શું જવાબ આપીશ?”
https://twitter.com/intent/like?tweet_id=1206697199947509760
સુશાંત આઠ વર્ષથી ‘સાવધાન ઇન્ડિયા’ સાથે જોડાયેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.