તમિલ
તમિલ ઇન્ડસ્ટ્રીઝની જાણીતા એક્ટ્રેસ પ્રિયંકાએ પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. માહિતી મુજબ, પ્રિયંકાને વલાસારાવક્કમમાં તેમના ઘરમાં જ ફાંસી લગાવીને મૃત્યુ પામ્યા હતા.
આપને જાણવી દઈએ કે, પ્રિયંકા તમિલ ટીવી શો વામસમમાં જ્યોતિકાના રોલ માટે પ્રખ્યાત હતા. આ સીરીયલમાં, તે બાહુબલીની ફેમ અભિનેત્રી રમ્યા કૃષ્ણનન સાથે જોવામાં મળ્યા હતા. પ્રિયંકાના મૃત્યુના સમાચાર સૌ પ્રથમ તેમની નોકરાણીએ આપ્યા હતા.આજે, જ્યારે બુધવારે સવારે પ્રિયંકાની ઘરની નોકરાણી આવી ત્યારે તેણે પ્રિયંકાને પંખા સાથે લટકેલા હતા. પ્રિયંકાના આત્મહત્યાને લઈને ઘરેલું કંકાસ માનવામાં આવી રહ્યું છે.
મીડિયા અહેવાલો અનુસાર, અભિનેત્રીના લગ્ન લગભગ 3 વર્ષ થઇ ચુક્યા હતા. પરંતુ તેમને કોઈ બાળકો ન હતા. પરિવારમાં સમસ્યા અને અણબનાવ થવાનું આ મુખ્ય કારણ કહેવામાં આવી રહ્યું છે.
ટીવી અભિનેત્રીનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આત્મહત્યાના મુખ્ય કારણો તપાસમાં આવી થયા છે.