નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ મંત્રી બંડારૂ દત્તાત્રેયે જણાવ્યું હતુ કે, ચાલુ નાણાંકીય વર્ષમાં એમ્પ્લોઇમેન્ટ પ્રોવિડન્ટ ફન્ડ EPF જમા 8.65 ટકા વ્યાજ દરની પુષ્ટી નાણાં મંત્રાલયની ટૂંક સમયમાં કરશે અને તેને લઇને કોઇ મતભેદ થશે નહી.
દત્તાત્રેયે કહ્યું હતું કે, શ્રમ મંત્રાલય તથા નાણાં મંત્રાલયનો અભિપ્રાય એક જ છે. EPF પર 8.65 ટકા વ્યાજ દરને લઇને કોઇ મતભેદ નથી અને તને અમે વ્યક્તિગત રીતે આગળ વધારી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, EPFO ના ટોચની સંસ્થા CBT એ ચાલુ નાણાકીય વર્ષ માટે EPF જમા પર 8.65 ટકા વ્યાજની મંજૂરી આપી દીધી છે.
મંત્રીના આ આશ્વાસનને એટલા માટે રાહત તરીકે જોવામાં આવી રહ છે કેમ કે નાણાં મત્રાલય ઇચ્છી રહ્યું છે કે, શ્રમ મંત્રાલય ઇપીએફ વ્યાજદરને