Vadodara News/ EPFO નો પીએફ ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, દંડ અથવા કાનૂની કાર્યવાહીથી બચવા માટે બચવા માટે 40 હજારની લાંચ માગી હતી

ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપી બિનોદકુમાર શર્માએ તેમને સ્પોટ મેમોનો ઈ-મેલ મોકલીને કેટલાક દસ્તાવેજો જમા કરાવવા જણાવ્યું હતું. જાણો કેવી રીતે રચ્યો ભ્રષ્ટાચાર થયો….

Top Stories Gujarat Vadodara Breaking News
Yogesh Work 2025 03 24T190420.441 EPFO નો પીએફ ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, દંડ અથવા કાનૂની કાર્યવાહીથી બચવા માટે બચવા માટે 40 હજારની લાંચ માગી હતી

Vadodara News : વડોદરામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ આજે સફળ ટ્રેપ ગોઠવીને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના એક ભ્રષ્ટ અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. બિનોદકુમાર હરિકાંત શર્મા નામના આ અધિકારી, જે વર્ગ-2ના એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે, તેઓને રૂ. 40,000ની લાંચ લેતા તેમની જ ઓફિસમાંથી ઝડપી લેવામાં આવ્યા છે.

આ સમગ્ર ઘટના એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ સામે આવી છે. ફરિયાદી ફેસિલિટી મેનેજમેન્ટનું કામ કરે છે અને તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પગાર તથા પ્રોવિડન્ટ ફંડના પૈસા ઓનલાઈન જમા કરાવે છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપી બિનોદકુમાર શર્માએ તેમને સ્પોટ મેમોનો ઈ-મેલ મોકલીને કેટલાક દસ્તાવેજો જમા કરાવવા જણાવ્યું હતું.

જ્યારે ફરિયાદી આ અંગે આરોપીને તેની કચેરીમાં મળવા ગયા, ત્યારે આરોપીએ તેમને જણાવ્યું કે દસ્તાવેજો જમા કરાવવાની છેલ્લી તારીખ પૂરી થઈ ગઈ છે, જેના કારણે તેમના પર દંડ અથવા કાનૂની કાર્યવાહી થઈ શકે છે.આ કાર્યવાહીથી બચવા માટે આરોપી શર્માએ ફરિયાદી પાસેથી રૂ. 50 હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આટલી મોટી રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આરોપી સાથે રકઝક કરી હતી, જેના અંતે રૂ. 40 હજાર આપવાનું નક્કી થયું હતું. જો કે ફરિયાદી લાંચ આપવાના બદલે ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી કરવા માંગતા હતા, તેથી તેમણે તાત્કાલિક એસીબી(ACB)નો સંપર્ક સાધ્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

ફરિયાદીની ફરિયાદના આધારે, વડોદરા એસીબી (ACB) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણ અને મદદનીશ નિયામક પી.એચ. ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજના મુજબ, ફરિયાદી આજે આરોપી બિનોદકુમાર શર્માને મળવા તેમની ઓફિસે ગયા અને અગાઉ નક્કી કરેલી લાંચની રકમ રૂ. 40,000 તેને આપ્યા હતા. લાંચ સ્વીકારતા જ એસીબી (ACB)ની ટીમે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.

એસીબી (ACB)ના અધિકારીઓએ આરોપીની ઓફિસમાં જ કાર્યવાહી હાથ ધરી હતી અને લાંચની રકમ પણ ઘટનાસ્થળેથી જપ્ત કરી હતી. આરોપી બિનોદકુમાર શર્માની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. એસીબી (ACB) દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે, જેથી અન્ય કોઈ સંડોવાયેલા હોય તો તેમની પણ ધરપકડ કરી શકાય.

આ સફળ ટ્રેપ એસીબી (ACB) દ્વારા ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશનો એક ભાગ છે. એસીબી (ACB)ના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે અને કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માંગતા કે લેતા પકડાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટના વડોદરા શહેરના સરકારી કર્મચારીઓમાં ખળભળાટ મચાવી ગઈ છે અને ભ્રષ્ટાચાર આચરનારાઓ માટે એક ચેતવણી સમાન છે. એસીબી (ACB) એ લોકોને અપીલ કરી છે કે જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી તેમની પાસેથી લાંચ માંગે તો તેઓ તાત્કાલિક એસીબીનો સંપર્ક કરે, જેથી ભ્રષ્ટાચાર સામે લડવામાં મદદ મળી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કારમાંથી બિયર મળતા પતાવટ માટે લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

આ પણ વાંચો: ગાંધીનગરમાં લાંચ લેતા RTO Inspector ની ધરપકડ

આ પણ વાંચો: કચ્છ ભુજમાં લાંચ લેતા મહિલા તલાટી ઝડપાઈ