ગુજરાત/ ગ્રામપંચાયત સમરસ બનાવવા કવાયત, શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવવાનો વ્યૂહ

રાજકીયપક્ષ પોતાના પક્ષ સમર્થિત ઉમેદવારો તરફી ગ્રામજનોને આકર્ષવા શામ-દામ-દંડ અને ભેદની નીતિ અપનાવી ગ્રામપંચાયત પોતાના તાબામાં રાખવા પ્રયાસ કરશે.

Top Stories Gujarat Others
election1 1 ગ્રામપંચાયત સમરસ બનાવવા કવાયત, શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવવાનો વ્યૂહ

10 હજાર 879 ગ્રામ પંચાયતોની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાવવાની છે ત્યારે ચૂંટણીમાં થોકબંધ ઉમેદવારોએ ઝૂકાવ્યુ છે.  ગ્રામપંચાયતની ચૂંટણી યોજ્યા વિના સમરસનો અભિગમ પણ સરકારે અપનાવ્યો છે. જે મુજબ ગ્રામવિકાસ માટે સરકાર ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી રહી છે. ઉમેદવારીપત્રો ભરવાનો સમય પૂર્ણ થયો છે. હવે રાજકીયપક્ષ પોતાના પક્ષ સમર્થિત ઉમેદવારો તરફી ગ્રામજનોને આકર્ષવા શામ-દામ-દંડ અને ભેદની નીતિ અપનાવી ગ્રામપંચાયત પોતાના તાબામાં રાખવા પ્રયાસ કરશે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ જીત માટે તમામ પ્રકારના પ્રયત્ન કરી રહ્યા છે. ગ્રામપંચાયતની ચૂંટણીનું ચિત્ર 7 ડિસેમ્બરે સ્પષ્ટ થશે.

  • ગુજરાતના ગામમાં જામ્યો ચૂંટણીજંગ
  • ઉમેદવારીપત્રો ભરવાનો સમય સંપન્ન
  • રાજકીયપક્ષો બન્યા સમરસમાં વ્યસ્ત
  • ગ્રામજનો છે સમસ્યાથી ત્રસ્ત
  • મતદારોનો ઝોક કળવો કપરી કસોટી
  • કોંગ્રેસે પણ નેતાની વરણી કરી છે પૂર્ણ
  • 7 ડિસેમ્બરે આખરી ચિત્ર થશે સ્પષ્ટ

ગુજરાતમાં ગ્રામપંચાયત ચૂંટણી જંગ જામતો જાય છે. 10 હજાર આઠસો કરતાં વધુ ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની મુદત પૂર્ણ થઇ છે. ત્યારે થોકબંધ ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝૂકાવ્યું છે. તો બીજીબાજુ રાજકીયપક્ષના પ્રતિક ઉપર ગ્રામપંચાયતની ચૂંટણી યોજાતી નથી. છતાં મુખ્ય રાજકીયપક્ષ ભાજપ કે કોંગ્રેસ પોતાના પક્ષ સમર્થિત ઉમેદવારોને ચૂંટણીજંગમાં લડાવવા ઉત્સુક છે. તો સત્તાધીશ ભારતીય જનતા પક્ષ ચૂંટણી યોજાયા વિના સમરસ ગ્રામપંચાયત માટે વ્યસ્ત બન્યો છે.

ગુજરાતમાં 10 હજાર 879 ગ્રામપંચાતની ચૂંટણી યોજવા રાજ્ય ચૂટંણી પંચે તૈયારીને આખરી ઓપ આપ્યો છે. 19 ડિસેમ્બરે ગ્રામપંચાયતનો મુખી એટલે કે સરપંચ કોણ..એ અંગે ગ્રામજનો માટે મતદાન યોજાશે. પરંતુ ચૂંટણી યોજતાં પૂર્વે જે-તે ગ્રામપંચાયતોમાં મતદાન જ યોજાય નહીં તે માટે મુખ્યરાજકીયપક્ષ ભાજપ અને કોંગ્રેસે રાજકીય કવાયત હાથ ધરી છે. રાજ્યના મુખ્યમંત્રીને જેટલી સત્તા હોય તેટલી જ વિશાળ સત્તા કદાચ ગ્રામપંચાયતમાં સરપંચ પાસે હોય છે. ગ્રામપંચાયતની ચૂંટણી ભલે રાજકીયપક્ષના પ્રતિક પર લડાતી નથી.પરંતુ રાજકીયપક્ષ સમર્થિત ઉમેદવારો ચૂંટણીજંગમાં તેમના ઉમેદવારો ઉભા રાખી ગ્રામપંચાયતમાં કબજો મેળવવા પ્રયાસ કરે છે. આ ઉપરાંત ગ્રામપંચાયતની ચૂંટણી યોજ્યા વિના સમરસનો અભિગમ પણ સરકારે અપનાવ્યો છે. જે મુજબ ગ્રામવિકાસ માટે સરકાર ગ્રાન્ટની ફાળવણી કરે છે. ગ્રામપંચાયતની આ ચૂટણીમાં સરપંચ અને સભ્યો માટે થોકબંધ ઉમેદવારીપત્રો ભરાયાં છે. તારીખ 4 ડિસેમ્બરે ઉમેદવારીપત્રો ભરવાની મુદત પૂર્ણ થઇ છે ત્યારે છેલ્લી સ્થિતિ આ મુજબ છે..

  • ગ્રામપંચાયત ચૂંટણી માટે ઉમેદવારીપત્રો

10284 ગ્રામપંચાયત – સરપંચ માટે – 31 હજાર 359 ઉમેદવારો

89 હજાર 702 – સભ્યો માટે -1 લાખ 16 હજાર ઉમેદવારો

ઉમેદવારીપત્રો ભરવાનો સમય પૂર્ણ થયો છે. હવે રાજકીયપક્ષ પોતાના પક્ષ સમર્થિત ઉમેદવારો તરફી ગ્રામજનોને આકર્ષવા શામ-દામ-દંડ અને ભેદની નીતિ અપનાવી ગ્રામપંચાયત પોતાના તાબામાં રાખવા પ્રયાસ કરશે. મહદઅંશે ભારતીય જનતા પક્ષ ગામમાં ચૂંટણી યોજ્યા વિના સરપંચ સહિતના ઉમેદવારોની પસંદગી કરી ગ્રામપંચાયત પર કબજો મેળવવા કવાયત તેજ કરશે. બીજાબાજુ આ વખતે કોંગ્રેસ પણ ગ્રામપંચાયતની ચૂંટણીમાં આક્રમક મિજાજ અપનાવશે. નવનિયુક્ત નેતા જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા માટે ગ્રામપંચાયતની ચૂંટણી પહેલો પડકાર છે. ત્યારે કોંગ્રેસ સમર્થિત કેટલી ગ્રામપંચાયત રહેશે તે જોવું રહેશે. આખરે સાતમી ડિસેમ્બર ઉમેદવારીપત્રો પરત ખેંચાવની અંતિમ તારીખ છે. આ સમય સુધીમાં ઉમેદવારોનું આખરીચિત્ર સ્પષ્ટ થશે.આ વખતે ગ્રામપંચાયતની ચૂંટણી અગાઉ સમરસ ગ્રામપચાયત જાહેર કરવી સરકાર માટે લોઢાના ચણા ચાવવા સમાન પુરવાર થશ. અંતે 7-મી-ડિસેમ્બરે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ગ્રામપંચાયતોમાં ચૂંટણીજંગ વધુ વ્યાપક રીતે જામશે.

Gujarat / સિંહે પાલતુ પશુનું મારણ કર્યું તો આધેડ વ્યક્તિ પર દિપડાએ કર્યો હિસંક હુમલો

હિન્દુ ધર્મ / નવગ્રહ શાંતિના ખૂબ જ સરળ ઉપાય, જીવનમાં સુખ માટે અવશ્ય અજમાવો

ફરી કુદરતના ખોળે / સોહામણું શ્યામશિર ટપુશીયુ સુગરીના વપરાઈ ગયેલા માળામાં પોતાના ઈંડા મૂકે છે….

હિન્દુ ધર્મ / મૃત શરીરને અગ્નિ દાહ આપીએ છીએ, અને બીજી બાજુ  મૃત પ્રાણી શરીરને રસોડે લઈ જઈ આરોગીએ છીએ, જાણો શું કહે છે શાસ્ત્રો..?

હિન્દુ ધર્મ / આ નાનકડા ઉપાયથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે સાથે રોગનું જોખમ પણ ઘટે છે, આવો જાણીએ