Mahesana News/ ઊંઝામાં નકલી જીરા-વરિયાળીનો કારોબાર: ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ઘમાસાણ

ગુજરાતના જાણીતા જીરા-વરિયાળીના કેન્દ્ર, ઉંઝામાં નકલી અને ભેળસેળયુક્ત જીરા-વરિયાળીનો કારોબાર ખૂબ જ વધી ગયો છે. આ મુદ્દે રાજકીય નેતાઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઘમાસાણ મચી ગયું છે

Gujarat Others Breaking News

ઊંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને એપીએમસી(APMC)ના પૂર્વ ચેરમેન નારાયણ પટેલે આ મામલે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને ઊંઝા માર્કેટ કમિટી પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતાં જણાવ્યું કે, નકલી જીરા અને ભેળસેળવાળી વરિયાળીનો કારોબાર મહેસાણા થી લઈને ગાંધીનગર સુધી ચાલતો હોવાનું લાગે છે. તેમનું કહેવું છે કે, તમામ જવાબદારોની મિલીભગતથી જ ભેળસેળિયા બેફામ બન્યા છે અને પકડાયેલા નકલી માલનો ક્યારેય નાશ કરવામાં આવતો નથી.

બીજી તરફ, ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે આ મામલે સમગ્ર સમાજને જવાબદાર ઠેરવ્યો છે. તેમનું કહેવું છે કે, નકલી જીરા બનાવનારા પોતાના સ્વાર્થ માટે આ કામ કરે છે અને આવી પ્રવૃત્તિને રોકવી જોઈએ.

સ્થાનિક પીઢ નેતાઓના અથાગ પ્રયાસો છતાં નકલી જીરાનો કારોબાર બંધ થતો નથી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે કોણ જવાબદાર છે તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઊંઝા APMCની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ, BJP એ ધારાસભ્ય અને પૂર્વ વાઈસ ચેરમેનને મેન્ડેડ ના આપ્યું

આ પણ વાંચો: મહેસાણાના ઊંઝામાં નકલી જીરું અને વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાઈ

આ પણ વાંચો: ઊંઝા APMCના 5 ડિરેક્ટરોનો મામલો, હાઈકોર્ટે ફગાવી અરજી