સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝનાં વલણને રોકવા માટે સરકાર નક્કર પગલાં ભરવાની દિશામાં આગળ વધવા માંગે છે. એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નફરતની સામગ્રી અને નકલી સમાચારોનાં ફેલાવાને રોકવા માટે યૂઝર્સની પ્રોફાઇલને તેમના આધાર નંબર સાથે જોડવાની જરૂર છે. એટર્ની જનરલે કહ્યું કે, જેનાથી સોશિયલ મીડિયા પર દેશ વિરોધી, આતંકવાદ, ફેક ન્યૂઝ, અપશબ્દો અને અશ્લીલ સામગ્રી ફેલાવનાર વ્યક્તિની ઓળખ થવાની સાથે તેને જવાબદાર પણ ગણી શકાશે. સુપ્રીમ કોર્ટે પણ વેણુગોપાલનાં સૂચનને સૈદ્ધાંતિક રીતે સંમતિ આપી છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે, ગુનાની ઓળખ કરવા માટે આ જરૂરી છે.
આપને જણાવી દઇએ કે બોમ્બે અને એમપી ઉચ્ચ અદાલતોમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે જેમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને આધાર નંબરથી લિંક કરવા ફરજિયાત બનાવવા પરના આદેશો આપવામાં આવ્યા છે. આ અરજીઓ સામે ફેસબુક અને વોટ્સએપે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. એટર્ની જનરલે આ ટિપ્પણીઓ સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન કરી હતી.
એટર્ની જનરલે કહ્યું હતું કે, દેશ વિરોધી, આતંકવાદ વિરોધી સામગ્રી, ફેક ન્યૂઝ, માનહાનિ અને અશ્લીલ સામગ્રીને ફેલાવતા અટકાવવા યૂઝર્સની સોશિયલ મીડિયા પ્રોફાઇલને વહેલી તકે તેમના આધાર નંબર સાથે જોડવાની જરૂર છે. આ કરવાથી આ પ્રકારની સામગ્રી ફેલાવનાર વ્યક્તિની ઓળખ કરી શકાય છે અને જવાબદાર ગણાવી શકાય છે. વેણુગોપાલે કહ્યું કે, પ્રથમ વખત સોશિયલ મીડિયા પર આવી સામગ્રી પોસ્ટ કરનાર વ્યક્તિની ઓળખ થવી જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.