Valsad News : વલસાડ (Valsad) જિલ્લાના પંડોર ગામમાં કોલક નદીના તીવ્ર પ્રવાહમાં બે લોકોના દુઃખદ મોતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. આ દુર્ઘટના (Flood Tragedy)બાદ રાજ્ય સરકારે માનવતાભર્યો અભિગમ દાખવી બંને પીડિત પરિવારોને ₹4-4 લાખની આર્થિક સહાય (Financial Assistance) મંજૂર કરી છે.
દુર્ઘટના (Flood Tragedy)બાદ રાજ્ય સરકારનો માનવતાભર્યો અભિગમ

દુર્ઘટનાના અનુસંધાનમાં સ્થાનિક ધારાસભ્ય તેમજ અન્ય આગેવાનો પીડિત પરિવારોને મળવા પહોંચ્યા હતા. તેમણે પરિવારજનોને સાંત્વના પાઠવી દુઃખની આ ઘડીએ સરકાર તેમની સાથે હોવાનું આશ્વાસન આપ્યું હતું.
આ પ્રસંગે અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો તાત્કાલિક લાભ મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

દુર્ઘટનામાં જીવ ગુમાવનાર સ્વર્ગસ્થ રમણભાઈ અને દેવીબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ પણ પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
