Surat News/ પલસાણામાં સંતોષ મિલમાં લાગેલી આગની સમગ્ર ઘટનામાં કુલ મૃત્યુ આંક 3 પર પહોંચ્યો

20 થી વધુ ઘાયલ કામદારો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

Top Stories Gujarat Surat Breaking News

Surat NAdd Postews:સુરતના (Surat) પલસાણા વિસ્તારમાં આવેલી સંતોષ મિલમાં બે દિવસ પહેલા ડ્રમ ફાટવાથી ભીષણ આગ (Fire) લાગી હતી.આ અકસ્માતમાં (Accident) અત્યાર સુધીમાં ત્રણ કામદારોના મોત થયા છે, જ્યારે 20 થી વધુ કામદારો ઘાયલ થયા છે અને સારવાર હેઠળ છે.પલસાણામાં આવેલી સંતોષ મિલમાં બે દિવસ પહેલા અચાનક ડ્રમ ફાટવાથી ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બે કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આગમાં ફસાયેલા અન્ય કામદારોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં ઘાયલ થયેલી એક મહિલા કામદારનું આજે સવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ સાથે, આ ઘટનામાં કુલ મૃત્યુઆંક ત્રણ થઈ ગયો છે. હાલમાં, 20 થી વધુ ઘાયલ કામદારો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રારંભિક તપાસ સૂચવે છે કે ડ્રમમાં રસાયણોના લીકેજ અથવા અયોગ્ય સંગ્રહને કારણે આ ઘટના બની હતી. સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું નુકસાન થઈ ગયું હતું.

પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને મિલ સંચાલકો પાસેથી સલામતીના નિયમોના પાલન અંગે માહિતી માંગી છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક સલામતી અને કામદારોના જીવનના રક્ષણનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં અરેરાટીભરી ઘટના : હીરાની ઘંટીમાં દુપટ્ટો ભરાતા ચામડી સાથે વાળ નીકળી ગયા,માથુ અલગ થયાના નામે વીડિયો વાઈરલ

આ પણ વાંચો:સુરતમાં BRTS બસમાં ડાન્સ પાર્ટીનો વીડિયો વાયરલ, મનપા દ્વારા કાર્યવાહીની તૈયારી

આ પણ વાંચો:સુરતની કાયદો અને વ્યવસ્થા હવે નારીશક્તિના હાથમાં, 8 ડીસીપી તરીકે મહિલા અધિકારી