દેશના અડધાથી વધુ રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે અને ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાએ વરસાદે તારાજી સર્જી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, યુપી અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જ્યારે આસામમાં ભારે વરસાદને કારણે પૂરના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે આ અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા સાથે વાત કરી હતી. તેમણે પૂરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.
અમિત શાહે સીએમ બિસ્વા સાથે વાત કરી હતી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે ભારે વરસાદને કારણે આસામના કેટલાક ભાગોમાં લોકો પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. મેં સીએમ હિમંતા બિસ્વા સરમા સાથે વાત કરી છે અને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.
આસામમાં પૂરથી લગભગ પાંચ લાખ લોકો પ્રભાવિત થયા છે
આપને જણાવી દઈએ કે આસામમાં પૂરથી અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ લોકો પ્રભાવિત થયા છે. એક સત્તાવાર અહેવાલ મુજબ, હાલમાં 16 જિલ્લાઓમાં 4.88 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે.
પૂરના કારણે બે લોકોના મોત
તે જ સમયે, પૂરના કારણે અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. આસામમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર બાજલી સબ-ડિવિઝન છે, જ્યાં 2.67 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
આ પણ વાંચો:બાંકુરામાં મોટો ટ્રેન અકસ્માત, 2 માલગાડીઓ સામસામે અથડાઈ, 6 ડબ્બા પાટા પરથી ઉતર્યા, ડ્રાઈવર ઘાયલ
આ પણ વાંચો:મણિપુર બ્લાસ્ટ કેસની NIA કરશે તપાસ, સર્વપક્ષીય બેઠક બાદ વિપક્ષી નેતાઓએ શું કહ્યું
આ પણ વાંચો:અમેરિકન કંપની માઈક્રોન ભારતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ લગાવશે, મોબાઈલ-લેપટોપ સસ્તા થશે