ગાંધીનગર,
ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ અન્ન અને પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ તુવેરના ટેકાના ભાવ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને મગફલીની ખરીદીને લઈને જણાવ્યું હતું કે, મગફળીની ખરીદીમાં 80 ટકા પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે અને સરકાર આગામી સમયમાં ડુંગળી અને લસણના ટેકાના ભાવે ખરીદી માટે સરકાર વિચારી રહી છે.
