ભારતનાં ભૂતપૂર્વ વડાપ્રધાન અને જનતા દળ (સેક્યુલર)નાં પ્રમુખ એચ.ડી. દેવેગૌડા કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. દેવેગૌડાનાં કાર્યાલયે શનિવારે (22 જાન્યુઆરી) આ સત્તાવાર નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો – દુર્ઘટના / મુંબઈની કમલા બિલ્ડિંગમાં લાગી આગ ભીષણ આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ પહોંચી ઘટના સ્થળે
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પૂર્વ વડાપ્રધાન અને જનતા દળ (સેક્યુલર) પ્રમુખ એચડી દેવગૌડા કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેમની અંદર કોરોનાનાં કોઈ ગંભીર લક્ષણો નથી અને તેમની તબિયત સ્થિર છે. જો કે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કે નહીં, તેની માહિતી હજુ આપવામાં આવી નથી. કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ પણ દેવેગૌડાનાં કોરોના સંક્રમિત હોવાના સમાચારની પુષ્ટિ કરી છે. બીએસ યેદિયુરપ્પાએ કન્નડ ટ્વીટમાં લખ્યું છે કે, “મને આશા છે કે વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા જલ્દીથી કોરોના વાયરસથી સ્વસ્થ થઈ જશે.” એચડી દેવગૌડાએ જૂન 1996 થી એપ્રિલ 1997 સુધી ભારતનાં 12માં વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ અગાઉ 1994 થી 1996 સુધી કર્ણાટકનાં 14માં મુખ્યમંત્રી હતા. હાલમાં તેઓ રાજ્યસભામાં સાંસદ છે.
Former Prime Minister and Janata Dal (Secular) president HD Devegowda tested positive for #COVID19. He has no symptoms and his health is stable: Office of HD Devegowda
(File pic) pic.twitter.com/EfzjOLr2g3
— ANI (@ANI) January 22, 2022
દરમિયાન, કર્ણાટક સરકારે શુક્રવારે સપ્તાહનાં અંતમાં કર્ફ્યુ હટાવવાનો નિર્ણય કર્યો હતો, જે કોવિડ-19 સંક્રમણનાં વધતા જતા કેસોને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્યથી લાદવામાં આવ્યો હતો. જો કે, નાઇટ કર્ફ્યુ દરરોજ રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. વળી, રેસ્ટોરન્ટ અને અન્ય સ્થળોએ 50 ટકા ક્ષમતા સહિત અન્ય તમામ કોવિડ પ્રતિબંધો ચાલુ રહેશે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિ અને તેને સમાવવા માટે લાદવામાં આવેલા નિયંત્રણોનું મૂલ્યાંકન કરવા નિષ્ણાતો, વરિષ્ઠ મંત્રીઓ અને તેમની સરકારનાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
