સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એએમ ખાનવિલકરને મંગળવારે ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, આ પદ ખાલી પડ્યાના લગભગ બે વર્ષ પછી. જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ 27 મે, 2022ના રોજ તેમનો કાર્યકાળ પૂરો કર્યા પછી લોકપાલ તેના નિયમિત વડા વિના કામ કરી રહ્યું છે. લોકપાલના ન્યાયિક સભ્ય જસ્ટિસ પ્રદીપ કુમાર મોહંતી હાલમાં કાર્યકારી અધ્યક્ષ છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કેન્દ્રીય લોકપાલમાં ચેરમેન, જ્યુડિશલ મેમ્બર્સ અને નોન જ્યુડિશિયલ મેમ્બર્સની નિમણૂંક કરી છે, જેમાં ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી પંકજકુમારનું નામ પણ સામેલ છે.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જસ્ટિસ અજય માણિકરાવ ખાનવિલકરને લોકપાલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરીને ખુશ છે. જસ્ટિસ ખાનવિલકર જુલાઈ 2022માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા. નિવૃત્ત જસ્ટિસ લિંગપ્પા નારાયણ સ્વામી, સંજય યાદવ અને રિતુ રાજ અવસ્થીને ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલના ન્યાયિક સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
જસ્ટિસ અજય માણિકરાવ ખાનવિલકરની લોકપાલના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે 3 જ્યુડિશલ મેમ્બર્સ અને 3 નોન જ્યુડિશિયલ મેમ્બર્સની નિમણૂંક કરવામાં આવી છે જેની વિગત આ મુજબ છે :
જ્યુડિશિયલ મેમ્બર્સ
જસ્ટિસ લિંગપ્પા નારાયણ સ્વામી
જસ્ટિસ સંજય યાદવ
જસ્ટિસ રિતુ રાજ અવસ્થી
નોન જ્યુડિશિયલ મેમ્બર્સ
સુશીલ ચંદ્ર
પંકજ કુમાર
અજય તિર્કી
