Farmers Protest Gujarat : રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને હવે અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. સરકાર દ્વારા ખેડૂતો (Farmer) ના મુદ્દાઓ પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે આગામી 12 જાન્યુઆરીએ ગાંધીનગર (Gandhinagar) માં મોટો મોરચો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ભારતીય કિસાન સંઘ (Indian Kisan Sangh) ના મહામંત્રી આર.કે. પટેલે (R.K.Patel)મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
ખેડૂતો (Farmer) ના મુદ્દા સરકાર અવગણી રહી હોવાનો આરોપ
તાજેતરમાં બલરામ ભવન ખાતે મળેલી ભારતીય કિસાન સંઘની વિશેષ કારોબારી બેઠકમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ મહામંત્રી આર.કે. પટેલે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતો (Farmer) ના મૂળભૂત પ્રશ્નો સાંભળતી નથી, જેના કારણે ખેડૂતોને આંદોલનનો રસ્તો અપનાવવો પડી રહ્યો છે.
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે મોરચો
આર.કે. પટેલે જણાવ્યું કે, આગામી 12 જાન્યુઆરીએ સમગ્ર જિલ્લાના ખેડૂતો (Farmer) ગાંધીનગર પહોંચશે અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એકત્રીકરણ કરશે. આ દિવસે સરકાર સામે કઈ રીતે અને કેટલા કડક પગલાં લેવાશે તેનો આખરી નિર્ણય લેવામાં આવશે.
ખાતર વિતરણમાં અયોગ્ય વ્યવસ્થાના આક્ષેપ
તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર ખાતર વિતરણ વ્યવસ્થામાં પણ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. આજે પણ ખેડૂતોને ખાતર માટે લાંબી-લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. જ્યારે ખેતીની સીઝન પૂર્ણ થવાના આરે હોય, ત્યારે ખાતર મળે તો શું કામ આવે? એવો સવાલ પણ તેમણે સરકાર સામે ઉઠાવ્યો.

