Anand News: GST વિભાગે આણંદ જિલ્લાના ઉમરેઠમાં કાગળ અને લોખંડના વેપારી ટી એ મણિ એન્ડ સન્સની પેઢી પર દરોડા પાડ્યા હતા. T.A મણિ એન્ડ સન્સ એ ઉમરેઠના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી એક વેપારી પેઢી છે.
જી હા… રાજ્ય GSTની ટીમે આણંદ જિલ્લાના ઉમરેઠમાં કાગળ અને લોખંડનો વેપાર કરતી ટ્રેડિંગ ફર્મ ટી એ મણિ એન્ડ સન્સ પર દરોડા પાડ્યા છે. છેલ્લા બે કલાકથી ઓફિસમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. ઉમરેઠમાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓ દ્વારા બિલની ચુકવણી ન થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જે અંતર્ગત રાજ્યના GST વિભાગે ઉમરેઠમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આણંદ જિલ્લાના તાલુકા ઉમરેઠનગરના કોર્ટ રોડ પર આવેલ કંસારા બજારમાં એક વાસણની દુકાનમાં GST વિભાગે દરોડો પાડ્યો હતો. જીએસટી વિભાગના દરોડાના સમાચાર શહેરમાં ફેલાતાની સાથે જ કેટલાક કરચોરી કરતા વેપારીઓ ધંધા-રોજગાર બંધ કરીને ફરાર થઈ ગયા હતા. જો કે, વાસણોનો વેપારી ત્યાં GSTની ચોરી કરતા પકડાયો હતો કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સિલ્ક સિટી તરીકે પ્રખ્યાત આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક મોટા વેપારીઓ દ્વારા નકલી બિલિંગ દ્વારા GSTની ચોરીની ફરિયાદો ઉઠી છે. થોડા સમય પહેલા જીએસટી વિભાગે શહેરના એક જાણીતા પાન-મસાલા અને બીડી-સિગારેટના વેપારી પર દરોડા પાડ્યા હતા. આ પછી વડોદરાની ટીમે સિલ્ક સિટી ઉમરેઠના કંસારા માર્કેટમાં વાસણોના જાણીતા વેપારીને ત્યાં તપાસ હાથ ધરી હતી. નગરના કેટલાક વેપારીઓ પાસેથી નકલી બિલિંગ દ્વારા GST કરચોરીની ફરિયાદ મળતાં GST વિભાગના અધિકારીઓએ ત્યાંના વાસણોના વેપારીના ખાતાની તપાસ કરી હતી. બીજી તરફ શહેરમાં જીએસટી વિભાગના દરોડાના સમાચાર મળતાની સાથે જ નકલી બિલિંગ કરતા કેટલાક મોટા વેપારીઓ પોતાની દુકાનો બંધ કરીને ફરાર થઈ ગયા હતા. સાંજ સુધીમાં GST વિભાગે હિસાબો એકત્રિત કરી તપાસ કરી હતી. પરંતુ વાસણોના વેપારીના સ્થળે કોઈ કરચોરી પકડાઈ છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.
આ પણ વાંચો:સાંસદ મનસુખ વસાવાએ કેવડિયામાં આદિવાસી યુવાનો પરના હુમલાની ઘટનાને વખોડી
આ પણ વાંચો:LG હોસ્પિટલમાં દર્દીના સગા સાથે સિક્યુરીટી ગાર્ડની ગુંડાગીરી
આ પણ વાંચો:અમદાવાદમાં ટ્રાફિકના નિયમોને લઈને હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ અને રાજ્ય સરકારનો લીધો ઉધડો
