નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલું પાનકાર્ડ ફોટો ID તરીકે ઓળખાય છે. તેમાં 10 અંકોની આલ્ફા આંકડાકીય નંબર આપવામાં આવે છે. આ પાનકાર્ડનો ઉપયોગ ઘણી સરકારી પ્રવૃત્તિઓ માટે થાય છે, જેમ કે બેંક ખાતું ખોલાવુ, આવકવેરાનું વળતર ભરવુ, પાસપોર્ટ બનાવવો અથવા બેંકમાંથી મોટી રકમ ઉપાડવી.
પાનકાર્ડ બનાવવાને લગતા નિયમો સરકારે પહેલા કરતા વધુ સરળ બનાવ્યા છે. જો તમારી પાસે ફક્ત આધારકાર્ડ જ છે, તો પછી તમે કોઈ દસ્તાવેજો આપ્યા વિના પાનકાર્ડ બનાવી શકો છો. જો તમે ફક્ત આવકવેરા રીટર્ન ફાઇલ કરવા માટે આધારકાર્ડનો ઉપયોગ કર્યો છે, તો આવકવેરા વિભાગ તમને પાનકાર્ડ આપશે. રિપોર્ટ અનુસાર, જો કોઈ વ્યક્તિ રિટર્ન ફાઇલ કરવા માટે આધારનો ઉપયોગ કરે છે, તો એવું માનવામાં આવશે કે તેણે પાનકાર્ડ માટે અરજી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.