પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે રાજ્યપાલ જગદીપ ધનખડને ‘ભ્રષ્ટ વ્યક્તિ’ ગણાવ્યા હતા અને ઉત્તર બંગાળની તાજેતરની મુલાકાતના હેતુ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યના ઉત્તરીય ભાગને વિભાજીત કરવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
મમતા બેનરજીએ સચિવાલયમાં પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્યપાલ ભ્રષ્ટ માણસ છે. તેમનું નામ 1996ના હવાલા જૈન કેસમાં ચાર્જશીટમાં હતું. કેન્દ્ર સરકારે રાજ્યપાલને આ રીતે હોદ્દા પર રહેવાની મંજૂરી કેમ આપી? ” બેનર્જીએ કહ્યું કે, ધનખડની ઉત્તર બંગાળની મુલાકાત એક “રાજકીય ખેલ” છે કારણ કે તેઓ માત્ર ભાજપના ધારાસભ્યો અને સાંસદોને મળ્યા હતા.
મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે, તેઓએ અચાનક ઉત્તર બંગાળની મુલાકાત કેમ લીધી ? મને ઉત્તર બંગાળને વિભાજીત કરવાના કાવતરાની ગંધ આવી રહી છે. ” તૃણમૂલ કોંગ્રેસના વડાએ કહ્યું કે તેમણે ધનખડને હટાવવા માટે કેન્દ્રને ઘણા પત્રો લખ્યા છે. બેનર્જીએ કહ્યું કે, બંધારણ મુજબ હું તેમને મળવાનું, તેમની સાથે વાત કરવાનું અને તમામ સૌજન્યનું પાલન કરીશ… પરંતુ કેન્દ્ર સરકારે મારા પત્રોના આધારે કાર્યવાહી કરવી જોઈએ.
રાજ્યપાલે તેમની ઉત્તર બંગાળ મુલાકાત દરમિયાન હિંસા પર પ્રશ્નો ઉભા કર્યા હતા
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેએ સોમવારે કહ્યું કે રાજ્યમાં મતદાન પછીની કથિત હિંસાથી ઉભી થયેલી પરિસ્થિતિ ચિંતાજનક અને ખલેલજનક છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જીએ આ મુદ્દે કોઈ સાતીર ચાલ ભર્યું વલણ અપનાવ્યું છે. ધનખડેએ ઉત્તર બંગાળની એક સપ્તાહની મુલાકાત લીધી હતી, જે દરમિયાન તેમણે હિંસાના પીડિતો સાથે રાજ્ય સરકારની સારવારની ટીકા કરી હતી.
તેમણે કહ્યું, “હું 2 મે પછી પશ્ચિમ બંગાળમાં હિંસા અંગે ચિંતિત છું. આ સ્વીકાર્ય નથી. રાજ્યની સ્થિતિ ચિંતાજનક અને વ્યગ્ર છે. આ પ્રકારની હિંસાએ લોકશાહી માળખા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે.