ગુજરાતમાં નર બલી !/ ધૈર્યાને ભૂખી તરસી રાખી તાંત્રિક વિધિ કરતાં હતા, પૈસાની લાલચે પિતાએ જ પોતાની જ પુત્રીની ચઢાવી બલી

ગીર સોમનાથ પોલીસને ફરિયાદ મળી છે કે એક દંપતિએ અમીર બનવા માટે પોતાની એકમાત્ર પુત્રીનો બલીદાન આપી દીધો હતો. ગ્રામજનોની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Others
narbali ધૈર્યાને ભૂખી તરસી રાખી તાંત્રિક વિધિ કરતાં હતા, પૈસાની લાલચે પિતાએ જ પોતાની જ પુત્રીની ચઢાવી બલી

વિકાસશીલ મોડેલ સ્ટેટ ગુજરાતમાં નરબલીની ઘટનાએ લોકોના દિલ દહેલાવી દીધા છે. ગીર સોમનાથના તાલાલા તાલુકાના એક ગામના ગ્રામજનોએ ગામમાં નરબલી ચઢાવી હોવાની ફરિયાદ કરી રહ્યા હતા. પરંતુ તપાસ કરતાં જએ વિગતો સામે આવી છે તે ખરેખર ખૂબ જ હ્રદય દ્રવક છે. એક પિતા પોતાની પુત્રી સાથે આટલી હદ સુધઓનો અત્યાચાર કેવી રીતે કરી શકે  ? પોતાની જ દીકરીને સાત સાત દિવસ સુધી ભખિ અને તરસી આગ  પાસે ઊભી રાખી  વાળથી બાંધી .. કેટલો અત્યાચાર ?

ગુજરાતના ગીર સોમનાથ પોલીસને ફરિયાદ કરી છે કે છુપાવેલ ગુપ્ત ધનની શોધમાં માતા-પિતાએ એક તાંત્રિક વિધિ કરી હતી. જેમાં તેમણે પોતાની એકમાત્ર પુત્રીનું બલિદાન આપ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં એક ધાર્મિક વિધિ દરમિયાન પરિવારે પોતાની પુત્રીનું બલીદાન આપ્યું હતું. આ ફરિયાદ બાદ પોલીસે વિધિવત તપાસ શરૂ કરી છે. ગીર સોમનાથના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગામના એક રહેવાસીએ પોલીસને જાણ કરી હતી કે એક ધાર્મિક વિધિ દરમિયાન એક બાળકીનું બલીદાન આપવામાં આવ્યું છે. તે માહિતીના આધારે પોલીસ ઘટનાની ઔપચારિક તપાસ શરૂ કરી હતી.  કેસ નોંધતા પહેલા પોલીસ મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવાગીર ગામના વાડી વિસ્તારના પોલીસના બાતમીદારોએ બાતમી આપી હતી કે, અહીં વાડી વિસ્તારમાં ભાવેશભાઈ અકબરી નામની વ્યક્તિ રહે છે. જે સુરત રહેતા હતા અને છેલ્લા 6 મહિનાથી અહીં વતનમાં આવ્યા હતા.
ભાવેશભાઈની 14 વર્ષની બાળકી ધૈર્યા જે ધોરણ 9 મા અભ્યાસ કરતી હતી. પરંતુ 8 મા નોરતાએ તે બાળકીની રાત્રે તેના જ પિતાએ બલી ચડાવી હોવાની બાતમી પોલીસને મળી હતી.

અમાનુષી અત્યાર કરાયો હતો. .. 

ગીર સોમનાથના ધાવાગીરના ચકચારી બાળકી હત્યા કેસ માં મોટો ખુલાસો થયો છે. 14 વર્ષીય ધૈર્યાને તેના જ પિતા ભાવેશ અને મોટા બાપુજી દિલીપે જ મોત ને ઘાટ ઉતારી હતી. ધૈર્યાને વળગાડ હોવાની આશંકા એ તાંત્રિક વિધિ કરી હતી. ધૈર્યા પર અમાનુષી અત્યાચારની હચમચાવી હકીકતો સામે આવી છે. ધૈર્યાને 2 કલાક આગ પાસે ઉભી રાખી હતી. શેરડીના વાડમાં લાકડી અને વાયર વડે બાંધી મારી હતી. બાદમાં માથાના વાળમાં લાકડી બાંધી બે ખુરશી વચ્ચે બાંધી દીધી હતી.

સતત સાત દિવસ અત્યાચાર ગુજરવામાં આવ્યો હતો. ધૈર્યાને ભૂખી તરસી રાખી તાંત્રિક વિધિ કરતાં હતા. આ સમગ્ર ઘટના ક્રમ 01 /10 થી 07/10 સુધી ચાલ્યો હતો. આખરે તા 07 ના ધૈર્યાનું મોત થયાનું માલુમ પડતા રાતોરાત અગ્નિ સંસ્કાર કરી નાખ્યો હતો. ધૈર્યાની માતા કપિલા બેન સમગ્ર ઘટનાથી અજાણ હતી. ધૈર્યાની માતાને પણ અગ્નિ સંસ્કાર બાદ જાણ કરાઈ હતી. ધૈર્યાને કોઈ ચેપી રોગ હોવાથી મોત થયાનું કુટુંબમાં જણાવ્યું હતું. ધૈર્યાના નાના એટલે હત્યારા ભાવેશ અકબરીના સસરાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભાવેશ અને તેના મોટા ભાઈ દિલીપ વિરુદ્ધ નોંધ્યો ગુન્હો.

શેરડીના ખેતરમાંથી વાઢમાંથી 2 પોટલા અને એક રાખ ભરેલું પોટલું મળી આવ્યું હતું. પોટલામાં  કપડા અને રાખ જોવા મળી હતી. જો કે હજુ સુધી પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. બીજી તરફ બાળકીના મોતના 4 દિવસ સુધી ગોદડામાં વિંટાળી હોવાના અને 7 ગામના લોકો અંતિમક્રિયા કરી હોવાના આરોપ મામલે પોલિસ અને તાલાલા મામાલદારે અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી છે.

ચૂપચાપ બાળકીના અંતિમ અંતિમ સંસ્કાર કર્યા પછી ગ્રામજનોને બાળકીના મોત અંગે શંકા ગઈ હતી.  આ છોકરી ખેડૂત દંપતીની એકમાત્ર સંતાન હતી. આ દંપતી લાંબા સમયથી તેમના ખેતરમાં ધાર્મિક વિધિઓ કરતા હતા અને એવી શંકા છે કે નવરાત્રિ દરમિયાન અમીર બનવા માટે દંપતીએ પોતાની જ બાળકીની બલિ ચઢાવી હતી.

અત્રે નોંધનીય છે કે કેરળના પથાનમથિટ્ટા જિલ્લામાં એક યુગલે અમીર બનવા માટે બે મહિલાઓની નિર્દયતાથી હત્યા કરી હતી.  પોલીસે આ કેસમાં દંપતી અને એક એજન્ટની ધરપકડ કરી છે. એજન્ટ મોહમ્મદ શફી ઉર્ફે રશીદ આ માનવ બલિદાનનો માસ્ટર માઈન્ડ હતો. તેણે પહેલા બંને મહિલાઓને પોતાના ટાર્ગેટ તરીકે પસંદ કરી હતી. આટલું જ નહીં, જેની આર્થિક સ્થિતિ માટે તેણે દંપતીને બલિદાન આપવા માટે ઉશ્કેર્યો હતો. તેના માટે તેણે નકલી ફેસબુક પ્રોફાઇલ બનાવીને તેમનો સંપર્ક કર્યો હતો.