Valsad News : વલસાડના દમણમાં એક ચોરીની ઘટનાએ સ્થાનિકોમાં ખળભળાટ મચાવી દીધો છે. મોટી દમણના શાંત વિસ્તારમાં બનેલી આ ઘટનામાં, ચોરોએ માત્ર એક ઘરને જ નહીં, પરંતુ નજીકના મંદિરને પણ નિશાન બનાવ્યું હતું. લંડનમાં સ્થાયી થયેલો ટંડેલ પરિવાર, જેઓ હાલમાં જ તેમના વતન મોટી દમણની મુલાકાતે આવ્યા હતા, તેમના ઘરને ચોરોએ લૂંટી લીધું હતું. ચોરોએ ઘરમાંથી અંદાજે ₹1 કરોડનું સોનું અને 8,000 યુ.કે. પાઉન્ડની ચોરી કરી હતી.
ચોરોએ તેની ચોરીનું પ્રદર્શન માત્ર ઘરમાં જ નહીં, પરંતુ ઘરની સામે આવેલા શ્રી રણછોડરાયજી મંદિરમાં પણ કર્યું હતું. મંદિરમાં પ્રવેશ કરીને, તેઓએ દાનપેટી તોડી અને અંદરથી લગભગ ₹20-25 હજારની રોકડ રકમ ચોરી લીધી હતી. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને પોલીસ પેટ્રોલિંગની કાર્યક્ષમતા પર સવાલો ઉભા થયા છે.
દમણ પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ એફ.એસ.એલ. અને ડોગ- સ્ક્વોડની ટીમની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે. ચોરીના આ કેસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે.
આ ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા વધારી છે, ખાસ કરીને રાત્રિ પેટ્રોલિંગની કામગીરી પર સવાલો ઉભા થયા છે. લોકોની માંગ છે કે, પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારે સઘન બનાવે જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળી શકાય. આ ચોરીની ઘટનાએ દમણમાં ચકચાર મચાવી છે. ટંડેલ પરિવારના ઘરમાં થયેલી આ ચોરી અને મંદિરમાં દાનપેટી તોડવાની ઘટના ચોરોની નફટ્ટાઈ દર્શાવે છે. જેના લીધે હવે સ્થાનિકોમાં સુરક્ષા માટે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ
આ પણ વાંચો:અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ
આ પણ વાંચો:અમદાવાદના લાંભા મંદિર પાસે વહેલી સવારે ભીષણ આગ લાગી
