સંયુક્ત આરબ અમીરાત યુએઈમાં કાર્યરત લાખો ભારતીયો માટે સારા સમાચાર છે. યુએઈએ શનિવારે જાહેરાત કરી હતી કે તે વ્યાવસાયિક વિદેશી નાગરિકોને તેની નાગરિકતા આપશે. કોવિડ -19 રોગચાળા વચ્ચે અર્થવ્યવસ્થાને પુન:ર્જીવિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે નાગરિકત્વ માત્ર અહીં કામ કરનારાઓને જ નહીં, પરંતુ તેમના મળશે પરિવારોને પણ નાગરીકતા આપવામાં આવશે.
budget 2021 / બજેટ 2021 : ખેડૂતોને મળશે ભેટ, વધી શકે છે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા
દુબઇના શાસક, વડા પ્રધાન અને દેશના ઉપરાષ્ટ્રપતિ, શેખ મોહમ્મદ બિન અલ મક્તોમે જાહેરાત કરી કે કલાકારો, લેખકો, ડોકટરો, ઇજનેરો અને વૈજ્ઞાનિકો તેમજ તેમના પરિવારો નાગરિકત્વ માટે અરજી કરી શકે છે. યુએઈ નાગરિક બન્યા પછી પણ તેઓ પોતાની જૂની નાગરિકતા જાળવી શકે છે.
આક્રોશ / ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ વોટ માંગવા ગામમાં આવવું નહિ, ગ્રામજનોનો આક્રોશ
કયા અધિકારો મળશે
જો કે, હજી સ્પષ્ટ નથી થયું કે નાગરિકત્વ મેળવનારા વિદેશી નાગરિકોને પણ અહીંના મૂળ નાગરિકો જેટલા જ અધિકાર આપવામાં આવશે કે કેમ. હજી સુધી, અહીં કામ કરતા વિદેશી લોકોને નોકરી અથવા કામ દરમિયાન ફક્ત વિઝા મળે છે, જે નવીકરણ મેળવે છે. જો કે, તાજેતરના વર્ષોમાં, વિઝા નિયમો હળવા કરવામાં આવ્યા છે જેના કારણે વિશેષ રોકાણકારો, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો વધુ સમય દેશમાં રહી શકે છે.
Vaccine / અહીં કલેકટર રસી લેવાનો ઇન્કાર કરાતાં અન્ય કર્મીઓમાં શંકા કુશંકા થઈ ઉભી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…