Gujarat News: અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ સરકારે રાજ્યના 7 હોસ્પિટલને બ્લેકલિસ્ટ (Blacklist) કરી દીધી છે અને ચાર સ્પેશિયાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકારે 7 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી દીધી છે. પ્રધાનમંત્રી જન ધન યોજનામાંથી ખોટી રીતે પૈસા ખંખેરતા ગુજરાત સરકારે મોટી કાર્યવાહી કરી છે. 7 હોસ્પિટલોમાંથી અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટની 1-1 તથા ગીર સોમનાથની એક હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ 7 હોસ્પિટલની સાથે સાથે 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તબીબોમાં ડો. પ્રશાંત વજીરાણી, ડો. કેતન કાલરીયા, ડો.મિહિર શાહ, ડો. હિરેન મશરૂનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:ખ્યાતિના કુખ્યાત ડો. પ્રશાંતને વસ્ત્રાપુર પોલીસ લોકઅપમાં VIP ટ્રીટમેન્ટ
આ પણ વાંચો:કાર્તિક પટેલ ફક્ત મેડિકલ જ નહીં ભૂમાફિયા પણ છેઃ સાંતેજની અબજો રૂપિયાની જમીન પચાવી
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલ કાંડ સંચાલકો અને આરોગ્ય વિભાગના ભ્રષ્ટાચારનું જોઈન્ટ ‘ઓપરેશન’