Not Set/ નજરની સામે જ હતી એમ્બ્યુલન્સ, કોર્ટ વ્યવસ્થામાં ગંભીર બેદરકારીની લીધે પક્ષકારનું મોત

વડોદરા, વડોદરાની નવી કોર્ટ બિલ્ડીંગની વ્યવસ્થામાં કોર્ટની બેદરકારી સામે આવી છે. કોર્ટની કાર્યવાહી દરમ્યાન અરવીંદ વસાવા નામના પક્ષકારને હુમલો આવતા એમ્બ્યુલન્સ બોલાવામાં આવી હતી પરંતુ એમ્બ્યુલનસ કોર્ટના પગથીયા સુધી ન પહોંચતા અરવીંદ વસાવાનું મોત થયુ હતુ. સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે કોર્ટના મેઇન દરવાજા પાસે બેરીકેટ લગાવામા આવ્યા હતા. જેને કારણે અરવીંદ વસાવા સુધી એમ્બ્યુલન્સ પહોંચી […]

Top Stories Vadodara Trending

વડોદરા,

વડોદરાની નવી કોર્ટ બિલ્ડીંગની વ્યવસ્થામાં કોર્ટની બેદરકારી સામે આવી છે. કોર્ટની કાર્યવાહી દરમ્યાન અરવીંદ વસાવા નામના પક્ષકારને હુમલો આવતા એમ્બ્યુલન્સ બોલાવામાં આવી હતી પરંતુ એમ્બ્યુલનસ કોર્ટના પગથીયા સુધી ન પહોંચતા અરવીંદ વસાવાનું મોત થયુ હતુ.

સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે કોર્ટના મેઇન દરવાજા પાસે બેરીકેટ લગાવામા આવ્યા હતા. જેને કારણે અરવીંદ વસાવા સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી. અરવીંદ ભાઇને ચાદરની ઝોળીમાં એમ્બ્યુલન્સમાં પહોંચાડવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનિય છે કે વડોદરાની નવી કોર્ટ એશિયાની સૌથી મોટી બિલ્ડીંગ છે. જેમાં એમ્બ્યુલન્સ કોર્ટના દરવાજા સુધી ન પહોંચતા હદય હુમલાથી જવાહર નગરમાં પોલીસ કોન્સ્ટેબલમાં ફરજ બજાવતા પક્ષકાર અરવીંદ વસાવાનુ મોત થયુ હતુ.