અમરેલી,
અમરેલીના બાબાપુર ગામમાં તલાટી ભાર્ગવ ત્રિવેદી પાસે એક મહિના પહેલા મરણના દાખલો કાઢવા બાબતે ગામના એક શખ્સ સાથે બોલાચાલી થઇ હતી.
આ વ્યક્તિ દ્વારા અવાર-નવાર ફોન દ્વારા અભદ્ર ભાષા બોલી તલાટીએ આરોપ પણ લગાવ્યો છે. જેમાં તલાટી પર પાવડાના હાથા વડે હુમલો કરાતાં તલાટીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ગ્રામપંચાયતના કામે જઈ રહેલા તલાટીએ ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ દાખલ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જયારે સામે પક્ષેથી પણ સિવિલમાં દાખલ થઇ ફરિયાદ કરવાની તજવીજ શરૂ હાથ ધરી છે.