અમદાવાદના નરોડા વિસ્તારમાં ભાજપના પૂર્વ કાઉન્સીલરો જમવાનું મંગાવ્યું, તે વખતે પ્લેટમાં જીવાત નીકળતા હોબાળો થઈ ગયો હતો.

અમદાવાદના નરોડા વિસ્તારની હોટેલના ભોજનમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના પુર્વ ભાજપ કાઉન્સિલરો તેમજ બોર્ડ નિગમના ડિરેક્ટરો નરોડાની હોટેલ ગેલેક્ષીમા વડાપ્રધાનના રોડ શો બાદ હોટેલમાં જમવા આવ્યાં તે સમયે હોટેલના ભોજનમા જીવાત નીકળતા હોબાળો મચી ગયો હતો. આ બેદરકારીની જાણ કોર્પોરેશનના હેલ્થ વિભાગ ને કરાતા વઘુ તપાસ હાથ ધરી છે.
