અમદાવાદઃ નોટબંધીને લઇને આમ લોકોને લાઇનમાં ઉભા રહીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જે હેતુ માટે નોટબંધી કરવામાં આવી હતી તે હેતું સિદ્ધ થઇ શક્યો નથી.
અમદાવાદઃ 8 નવેમ્બરે ભ્રષ્ટાચાર, બ્લેક મની, આતંકવાદ અને નકલી કરન્સીને રોકવા માટે 500 અને 1000 રૂપિયાની નોટ રદ્દ કરવામાં આવી હતી. તેના લીધે ઉભી થયેલી પરિસ્થિતિને સામાન્ય થતા 50 દિવસ લાગશે તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું હતું. તેમ છતા પરિસ્થિતમાં યથાવત રહેતા વિરોધ પક્ષોએ તેનો વિરોધ નોધાવ્યો હતો.
જેમાં કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં જઇને નોટબંધીનો વિરોધ નોધાવ્યો હતો. અને પ્રધાનમંત્રી મોદી પર આક્ષેપ કર્યો હતો કે, અમુક લોકોને ફાયદો પહોંચાડવા માટે નોટબંધી કરવામાં આવી છે. ત્યારે હવે 50 દિવસ પૂરા થઇ ગયા હોવાથી કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં નોટબંધીના વિરોધમાં બીજેપીના ધારાસભ્યો મેયર અને કલેક્ટરને આવેદન પત્ર આપીને વિરોધ નોધાવામા આવ્યો છે. બોટાદ, સરેન્દ્રનગર,