Not Set/ 11 લોકોના મોત સાથે રાજ્યમાં નોધાયા માત્ર 778 નવા કેસ

. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં  778 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે  રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,17,012 ઉપર પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં  11 લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 9944 લોકોના મોત થયા છે. 

Top Stories Gujarat Others
a 8 11 લોકોના મોત સાથે રાજ્યમાં નોધાયા માત્ર 778 નવા કેસ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં  778 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે  રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,17,012 ઉપર પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં  11 લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 9944 લોકોના મોત થયા છે.

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2,613 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 7,90,906  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 16,162 છે. રાજ્યમાં હાલ 363 લોકો વેન્ટિલેટર પર છે.

અત્યાર સુધીમાં 1,86,55,846 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,51,192 લોકોને વેક્સિન આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 113 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 76 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 39 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 131 કેસ, જ્યારે ગ્રામ્યમાં 50 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 24 કેસ અને ગ્રામ્યમાં 23 કેસ નોંધાયા છે.

corona update(3) 11 લોકોના મોત સાથે રાજ્યમાં નોધાયા માત્ર 778 નવા કેસ