સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગરના ભાજપના સીટીંગ સંસદ સભ્ય દેવજી ફત્તે પરાની ટિકિટ કપાયા પછી તેમનો ગુસ્સો સ્વાભાવિક રીતે સાતમાં આસમાને છે.દેવજીભાઈએ તેમનો રોષ કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કુંવરજી બાવળીયાથી લઈને ભાજપના નેતા જ્યંતી કવાડિયા પર ઉતાર્યો છે.
મીડિયા સાથેની વાતમાં દેવજીભાઈએ કહ્યું કે પૈસાના જોરે બધી ગોઠવણો થઈ છે.સેન્સની પ્રક્રિયા એક નાટક છે.દેવજીભાઈના આરોપો પછી સુરેન્દ્રનગર ભાજપમાં આગેવાનો વચ્ચેનો ભારે વિખવાદ સપાટી પર આવી ગયો છે.ભાજપે સુરેન્દ્રનગરમાં સીટીંગ એમપી દેવજીભાઈને કાપીને ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને ટીકીટ આપી છે.દેવજીભાઈએ કહ્યું કે જે વ્યક્તિ ભાજપ કાર્યાલય પર જોડાયો નથી તેને કેવી રીતે ટીકીટ મળી?ડોકટર મુંજપરાનો ઇતિહાસ તપાસો.
દેવજીભાઈના આરોપો પ્રમાણે કુંવરજી બાવળિયા અને જ્યંતી કવાડિયા જેવા નેતાઓએ પૈસાના જોરે ડો.મુંજપરાને ટીકીટ અપાવી છે.
ઉલ્લેખનીય છે કે કોળી સમાજના આગેવાન દેવજી ફત્તેપરા સામે સ્થાનિક કોળી સમાજના અગ્રણીઓએ પક્ષની નેતાગીરીને તેમની વિરુદ્ધ ફરિયાદો પણ કરી હતી.