અમદાવાદ,
શંકરસિંહ વાઘેલા 18 મહિના બાદ રાજનીતિમાં ફરી સક્રિય થયા છે. બાપુ 6 વખત ચૂંટણી લડ્યા,3 વખત સાંસદ બન્યા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવાયું હતું કે, હું થોડા દિવસ અગાઉ પુના ગયો અને શરદ પવારને મળ્યો હતો, અત્યારે લોકશાહી એક ભયમાં છે.
એક જ દિવસમાં બંધારણમાં ફેરફાર થયા છે. લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. અત્યારે જુઠા સિવાય કંઈ નથી આવતું બહાર, લોકોને BJPના કસ્ટથી બહાર કાઢવાના છે.
શંકરસિંહ બાપુનું નિવેદન
18 મહિના બાદ બાપુ રાજનીતિમાં ફરી સક્રિય
બાપુ 6 વખત ચૂંટણી લડ્યા,3 વાખત બન્યા સાંસદ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે શંકરસિંહ વાઘેલા
હું થોડા દિવસ અગાઉ પુના ગયો અને શરદ પવારને મળ્યો હતો:બાપુ
અત્યારે લોકશાહી એક ભયમાં છે:બાપુ #Mantavyanews pic.twitter.com/QHyrDhaECh— Mantavya News (@Mantavyanews) January 29, 2019
ઉલ્લેખનિય છે કે, એનસીપી તરફથી જાન્યુઆરીમાં મોટા સમાચાર આવશે એવું કહીને શંકરસિંહે સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો, કે તેઓ આગામી દિવસોમાં એનસીપી સાથે જોડાઈ રહ્યા છે.
