Fishing Boat Associations/ ગુજરાતના માછીમાર બોટ એસોસીએશએ ભૂપેન્દ્ર પટેલ તેમજ રાઘવજી પટેલનું અભિવાદન કરીને તેમનો આભાર માન્યો

માછીમારીની નવી સીઝન તા. 1 ઓગસ્ટના બદલે 15ઓગસ્ટથી શરુ કરવા રાજ્ય સરકારે કરેલા નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલનું અભિવાદન.

Top Stories Gujarat Breaking News
Fishing Boat Associations: માછીમારીની નવી સીઝન તા. 1 ઓગસ્ટના બદલે 15ઓગસ્ટથી શરુ કરવા રાજ્ય સરકારે કરેલા નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલનું અભિવાદન કરતા ગુજરાતના માછીમારો ગુજરાતમાં ચોમાસાની સીઝનને ધ્યાને રાખીએ તા. 1 જૂન થી 31 જુલાઈના સમયગાળા દરમિયાન માછીમારી બંધ સીઝન જાહેર કરવામાં આવી હતી. પ્રવર્તમાન સમય અને ગ્લોબલ વોર્મિંગના પરિણામે ઋતુચક્રમાં આવેલા પરિવર્તનથી છેલ્લા 5-7 વર્ષોથી ચોમાસામાં ખાસ કરીને ઓગસ્ટ મહિનાની શરૂઆતી દિવસો દરમિયાન દરિયામાં લોપ્રેસર અને તોફાનો આવતા હોય છે. દરિયામાં ભારે કરન્ટના કારણે ઉંચા મોજાઓની સ્થિતિને ધ્યાને લઈને તા. 1 ઓગસ્ટના બદલે તા. 15 ઓગસ્ટથી માછીમારી સીઝન શરૂ કરવામાં આવે તેવી રજૂઆતો ગુજરાતના દરેક બંદરના બોટ એસોસીએશનો દ્વારા કરવામાં આવી હતી. આ બાબતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ રાજ્યમાં તા. 1 ઓગસ્ટથી શરૂ થતી સીઝનમાં દરિયાઈ તોફાનોને કારણે કોઈપણ માછીમાર ભાઈઓને જાન-માલની નુકશાની ન સહન કરવી પડે તે માટે ગુજરાત સરકારે આ વર્ષે તા.1 ઓગસ્ટના બદલે તા. 15 ઓગસ્ટથી માછીમારી સીઝન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

રાજ્ય સરકારના આ માછીમાર હિતલક્ષી નિર્ણય બદલ આજે ગાંધીનગર ખાતે ગુજરાતના કેટલાક માછીમાર બોટ એસોસીએશનો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલનું અભિવાદન કરીને તેમનો આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતે રાજ્યના મહાવીર માછીમાર સહકારી મંડળી,પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન, અખીલ ગુજરાત માછીમાર મહામંડળ,ખારવા સમાજ માછીમાર બોટ એસોસીએશન, ગુજરાત પ્રદેશ માછીમાર સેલ, સીમા જાગરણ મંચ-સૌરાષ્ટ્ર પ્રાંત, સલાયા માછીમાર સહકારી મંડળી, ચોરવાડ સમસ્ત ખારવા જ્ઞાતિ,દક્ષિણ ગુજરાત બોટ ઓનર્સ વેલફેર એસોસીએશન,ધારાબંદર માછીમાર બોટ એસોસીએશન, માંગરોળ બંદર બોટ એસોસીએશન, સલાયા ફીશરમેન્સ એસોસીએશન,માંગરોળ ખારવા સમાજ, માછીમાર બોટ એસોસીએશન, બેટ દરીયાખેડુ ફીશીંગ બોટ ઓનર્સ એસોસીએશન તેમજ બેટ બાલાપર માછીમાર સહકારી મંડળીના હોદ્દેદારોએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં લોનનાં ચક્રવ્યૂહમાં ફસાવી મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્, બે વર્ષના બાળકનું થયું મોત

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.ની મિશન થ્રી મિલિયન ટ્રી ઝુંબેશ શહેરનું ગ્રીન કવર વધારશે