સરકાર દ્વારા નોટબંધી કર્યાને એક વર્ષ પૂર્ણ થયું છે. સરકારના આ નિર્ણયને ક્યાંક આવકાર મળી રહ્યો છે તો ક્યાંક આ નિર્ણયનો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના વેજલપુર વિસ્તારમાં સરકારથી નારાજ થયેલા દલિત સમાજના લોકોએ નોટબંધીનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન દલિત સમાજના અગ્રણીઓ અને કાર્યકરો એકઠા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.
મહત્વનું છે કે રોષે ભરાયેલા દલિત સમાજે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સરકારે દલિત સમાજ પર અત્યાચાર કર્યો છે જેને શાખી નહીં લેવાય. વધુમાં જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં સરકારને જરૂર ફટકો સહન કરવો પડશે.