પંચમહાલમાં હાલોલ ટોલનાકા પાસે માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના બેના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યારે બંને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા હતા.
આપને જણાવી દઈએ કે હાલોલ ટોલનાકા નજીક કાર પલટી જતાં સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. ઘવાયેલાઓમાં હાલોલના વતની એવા બે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ હાલોલ નજીકની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા છે. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
