શંકરસિંહ વાઘેલાએ દુષ્કર્મને લઇને નિવેદન આપતા જણાવ્યુ હતુ કે દુષ્કર્મ સરકારનો નહી સમાજનો પ્રશ્ન છે. મીણબતી લઇને નીકળવાનો કોઇ અર્થ નથી.
શાળામાં બાળકને દુષ્કર્મ પાપ છે, તેવુ શીખવવું જોઇએ. દુષ્કર્મના આરોપીને ફાંસી નથી અપાતી માટે આરોપીઓને ભય રહેતો નથી. ફાંસીનો કોઇ વિકલ્પ નથી.
સમાજ શિક્ષીત હોવો જોઇએ. બાપુએ દુષ્કર્મને ધર્મ સાથે જોડી નિવેદન આપ્યુ હતુ. બાપુએ જણાવ્યુ હતુ કે ઇસ્લામિક કાનૂન સાચો રસ્તો છે. સેક્સમેનિયાક લોકો પર નજર રાખી જાહેરમાં ફાંસી આપવી જોઇએ.