રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી દિવસે ને દિવસે ક્રાઈમની ઘટનામાં નોંધપાત્ર વધરો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં રેપ અને હત્યાના બનાવ હવે જાણે સામન્ય ઘટના બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હત્યાની વધુ એક ઘટના જામનગરથી સામે આવી છે.
મળતી માહિતી અનુસાર જામનગરના સાત રસ્તા સર્કલ પર મોડી રાત્રે અજાણ્યા શખ્શો દ્વારા એક યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ પ્રદીપ સિંહ રાજેન્દ્ર સિંહ ઝાલા તરીકે થઇ છે. પ્રદીપ સિંહ સિક્યુરિટી તરીકે ફરજબજાવતો હતો.
મહત્વનું છે કે ગણતરીની કલાકોમાં જામનગર LCB એ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે દાહોદમાંથી એક જ પરિવારના છ લોકોના ગળા કાપેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં પતિ-પત્ની અને ચાર બાળકોનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.