ભાવનગર.
ભાવનગર શહેરમાં આજથી લગભગ 15 દિવસ પહેલા એક બાળકનું હત્યા થવાનો કેસ સામે આવ્યો હતો. આ મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને એક ચોંકાવનારી બાબત સામે આવી હતી.
પોલીસે તપાસ દરમિયાન વાત બહાર આવી હતી કે બાળકની કાકીએ જ બાળકની હત્યા કરી હતી. ઘરમાં દેરાણી જેઠાણી વચ્ચે વેર હોવાના કારણે જેઠાણીએ આવું પગલું ઉઠાવ્યું છે. આમ માસુમ બાળકની કાકીએ બાળકની માતા સાથે બદલો લેવા માટે બાળકની જ હત્યા કરી નાખી હતી.
સંક્ષેપ્તમાં જણાવીએ તો ભાવનગરના રહીશ દિનેશભાઈ પરમારનું 15 દિવસનું બાળક અચાનક ઘરથી ગાયબ થઇ જાય છે. બાળક ગાયબ થવાના કારણે સંપૂર્ણ પરિવાર હેરાન-પરેશાન થઇ ગયું હતું. જો કે પરિવારજનોનું જણાવવું છે કે તે દિવસે બે સાધુ આવ્યા હતા જેમણે આવી ઘટનાને અંજામ દીધો હોય શકે.
જો કે આ બાળક અંતે ઘરના ટાંકામાંથી જ મળી આવ્યું હતું. પોલીસે પોતાની તપાસના આધારે આ બંને સાધુઓને શોધી કાઢ્યા હતા અને તેમની પૂછપરછ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે આ બધું કૃત્ય તેમને પોતે નહોતું કર્યું. જે નિવેદન બાદ કુટુંબીજનોની પૂછપરછ કરવામાં આવી હતી.