ઉનાળાની શરૂઆત થઈ રહી છે, જ્યાં સવારે ગરમી અને રાતે ઠંડી એમ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યાં સુરતમાં સૌથી વધારે તાપમાન છે. સુરતમાં બપોર થતા જ ઉનાળો આવ્યાના અણસાર દેખાવના શરુ થઈ જાય છે અને રાજકોટમાં પણ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે જેના કારણે રાજકોટમાં રોગચાળાએ માઝા મૂકી છે.
ડેન્ગ્યું , મેલેરિયા અને ઝાડા ઉલટી સહીત પાણીજન્યના કેસો હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટમાં છેલ્લા આઠ દિવસમાં આકડા ઉપર નજર નાખીએ તો ઝાડા ઉલટીના ૧૧૭ કેસો, તાવ-શરદી ૨૨૧ કેસો, મરડાના ૮ કેસો, મેલેરીયાના ૧ સહીત ૩૫૦ જેટલા દર્દીઓ નોંધાયા છે.