બનાસકાંઠા,
બનાસકાંઠાના વાવ તાલુકામાં બંધ મકાનમાં શોર્ટ સર્કિટથી આગની ઘટના બની હતી. વાવ તાલુકાના અસારા ગામમાં આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા ગેસના બાટલામાં વિસ્ફોટ થયો હતો.
મળતી માહિતી મુજબ આ આગને લીધે રોકડ રકમ સહિત ઘર વખરી બળીને ખાખ થઈ ગઇ હતી. ત્યારે ગ્રામજનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆત થતાં જ આગની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે..ત્યારે વધુ એકવાર આગ બંધ મકાનમાં શોર્ટસર્કિટને કારણે આગની ઘટના બની હતી..ત્યારે આ આગને લીધે ભારે નુકશાન થયુ હતુ…