પગ ઘસડીને ચાલવાથી રાહુ અને શનિ અશુભ પરિણામ આપે છે. આપણી આ આદતો દુર્ભાગ્યનું કારણ બની શકે છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રોજિંદા જીવનમાં આપણા દ્વારા કરવામાં આવતી ભૂલો ગ્રહોને પ્રભાવિત કરે છે, જેના કારણે આપણને અશુભ પરિણામ મળે છે.
આપણી આદતો આપણા ભવિષ્ય અને આપણને મળતા સુખ-દુઃખ સાથે પણ સંબંધિત છે. ગ્રંથોમાં કેટલીક સામાન્ય આદતોને અશુભ ગણાવવામાં આવી છે. અહીં જાણો કયો ગ્રહ આપણને આ ખરાબ ટેવોના કારણે વિપરીત પરિણામ આપે છે…
1. જો કોઈ વ્યક્તિ પગ ઘસડી ખેંચીને ચાલે છે તો તેની આ આદત સારી નથી માનવામાં આવતી. આ આદતને કારણે રાહુ અને શનિથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
2. જમ્યા પછી થાળી કે વાસણ છોડીને ઉઠવું એ સારી આદત નથી. જે લોકો આવા કામ કરે છે તેઓ સખત મહેનત પછી પણ સંતોષકારક પરિણામ મેળવી શકતા નથી. જો ભોજન કર્યા પછી વાસણોને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો શનિ અને ચંદ્રના દોષ દૂર થાય છે.
3. જો આપણે દરરોજ ઘરના મંદિરની સફાઈ ન કરીએ તો તે એક અશુભ આદત છે. મંદિર સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું જોઈએ. આમ કરવાથી તમામ દેવી-દેવતાઓ સહિત તમામ નવ ગ્રહો શુભ ફળ આપે છે.
4. જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા પછી બાથરૂમ ગંદા છોડી દે છે અથવા જે ઘરોમાં બાથરૂમ ગંદુ હોય છે ત્યાં વાસ્તુ દોષ વધે છે. તેમજ કુંડળીમાં ચંદ્ર અશુભ બને છે. સ્નાન કર્યા પછી બાથરૂમને ગંદુ ન છોડવું જોઈએ, ગંદકી સાફ કરવી જોઈએ અને ફ્લોર પર ફેલાયેલું પાણી પણ દૂર કરવું જોઈએ.
5. જો કોઈ વ્યક્તિ કોઈ કારણ વગર મોડી રાત સુધી જાગતો રહે તો ચંદ્ર ગ્રહ અશુભ ફળ આપે છે. આવા લોકોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે.
6. જો કોઈ ઘરમાં રસોડું અવ્યવસ્થિત રહે અને યોગ્ય સમયે સાફ-સફાઈ ન કરવામાં આવે તો મંગળ દોષ વધે છે.
વાસ્તુ ટિપ્સઃ / ઘરમાં દરરોજ આ 3 જગ્યાએ દીવો કરો, દૂર થશે દરિદ્રતા અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે
રામાયણ / જે લોકો ગુરુ, સંતો અને વૃદ્ધોની સેવા કરે છે, તેમને મળે છે આ 4 સુખ
વાસ્તુશાસ્ત્ર / ઘરમાં આ 5 મૂર્તિઓ રાખવાથી વધે છે સકારાત્મકતા, ખુલે છે પ્રગતિનો માર્ગ
પરંપરા / પૂજા અને અન્ય શુભ કાર્યોમાં શા માટે ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે?
હિન્દુ ધર્મ / પૂજા માટે તાંબાના વાસણો શા માટે શુભ માનવામાં આવે છે, ચાંદીના વાસણોનો ઉપયોગ કેમ ન કરવો જોઈએ?
ગરુડ પુરાણ / જાણો મૃત્યુ પછી આત્માને કેવી રીતે મળે છે સજા, કેટલા પ્રકારના નરક છે?
હિન્દુ ધર્મ / 21 ડિસેમ્બર સુધી રહેશે હેમંત ઋતુ, ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે તેનું મહત્વ..