Not Set/ હાર્દિકને કોંગ્રેસમાં રહેતા પણ ન આવડ્યું અને છોડતા પણ નહિ : જીજ્ઞેશ મેવાણી

જીજ્ઞેશ મેવાણીએ હાર્દિક પટેલને લઈને કહ્યું હતું કે હાર્દિકે ગરિમામાં રહીને કોંગ્રેસને છોડવી જોઈતી હતી. તેને જે શબ્દો બોલ્યા છે એ યોગ્ય નથી. તેને કહ્યું હતું કે હું કોંગ્રેસમાં છું અને લડવાનો છું. કોંગ્રેસ સાથે વૈચારિક મતભેદ હોઈ શકે છે, પણ એ પક્ષની અંગત વાત છે.

Top Stories Gujarat Others
જીજ્ઞેશ મેવાણી

ત્રણ ચાર વર્ષ કોંગ્રેસનો સાથ નિભાવીને હાર્દિક પટેલે ગુરુવારે એક ઝાટકે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. હાર્દિકે કોંગ્રેસનો સાથ તો છોડ્યો પરંતુ ‘રાહુલ રાજ’માં હાર્દિકે વિભીષણ જેવું કામ કર્યું છે. કોંગ્રેસનો સાથ છોડતાની સાથે જ હાર્દિકે કોંગ્રેસની અંદરની વાતો બહાર કરવા માંડી છે. કોંગ્રેસની નીતિ અને રીતિ એ રીતે જાહેર કરી છે કે જે કોંગ્રેસને ભાગવા પુરતી સાબિત થઇ શકે છે. હાર્દિકના આ વર્તનથી કોંગ્રેસના અનેક નેતાઓ તો નારાજ છે સાથે સાથે અન્ય પક્ષનાં નેતાઓ પણ હાર્દિકની આ બાબતને તેની નાદાની ગણાવી રહ્યા છે. જીજ્ઞેશ મેવાણી એ પણ હાર્દિક વિષે વાત કરી હતી અને નિવેદન આપ્યું હતું. જીજ્ઞેશ મેવાણી એ હાર્દિકને ગરિમા પૂર્ણ વર્તન નથી કર્યું એમ કહ્યું હતું.

હાર્દિકે કરેલ તેના મનની વાતને વડગામના અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણીએ પત્રકાર પરિષદ યોજી બફાટ ગણાવ્યો હતો અને અનેક સવાલો પણ કર્યા હતા. જીજ્ઞેશ મેવાણીએ હાર્દિક પટેલને લઈને કહ્યું હતું કે હાર્દિકે ગરિમામાં રહીને કોંગ્રેસને છોડવી જોઈતી હતી. તેને જે શબ્દો બોલ્યા છે એ યોગ્ય નથી. તેને કહ્યું હતું કે હું કોંગ્રેસમાં છું અને લડવાનો છું. કોંગ્રેસ સાથે વૈચારિક મતભેદ હોઈ શકે છે, પણ એ પક્ષની અંગત વાત છે. રાજીનામું આપતી વેળાએ રાહુલજીને ચિકન સેન્ડવિચ આપવાની વાત ક્યાં આવી? ઉપરાંત તેને પ્રેસ-કોન્ફરન્સમાં અંબાણી અને અદાણી કેમ યાદ આવ્યા? જિજ્ઞેશ મેવાણીએ સરકારને સવાલ કર્યો હતો કે માત્ર પાટીદારો સામે જ કેમ કેસ પરત ખેંચાયા. ઉનામાં દલિતો સામેના કેસ હજી પરત નથી લેવાયા. પદ્માવતી ફિલ્મના વિરોધ વખતે થયેલા કેસ કેમ પરત નથી લેવાયા. છતાય હાર્દિક બધું ભૂલી ગયા છે.

જીજ્ઞેશ મેવાણીએ વધુ વાત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે હાર્દિકને ઘણું આપ્યું છે. હાર્દિક સીધા જ રાષ્ટ્રીય નેતૃત્વના સંપર્કમાં રહેતા હતાં.  ચૂંટણીઓમાં સ્ટાર પ્રચારક બનાવ્યા હતાં. પ્રચાર માટે હેલિકોપ્ટર-ચોપર આપ્યા હતાં. જે લોકોએ હાર્દિકને પ્રેમ આપ્યો તે લોકોને હાર્દિક હવે ગાળો બોલી રહ્યો છે. હાર્દિક પર 32 કેસ છે એટલે બની શકે કે તેમના પર દબાણ હોઈ શકે એટલે રાજીનામું આપ્યું છે. અસામમાં ફરિયાદ મામલે મારી માટે અડધી રાતે રાહુલ ગાંધી ઉઠ્યા છે. વિચારધારા એ વસ્ત્ર નથી, એ રગોમાં હોવી જોઈએ. અમે ઝુકવાના નથી, એકાદ મિત્રો છોડી જાય એ યોગ્ય નથી. ગુજરાત કોંગ્રેસ વિરોધી છે એ બોલવું યોગ્ય નથી. આગામી 22મી મેના રોજ વાવ ખાતે સર્વ જ્ઞાતિ સંમેલન યોજીશું.

આ પણ વાંચો : સુરતમાં જન્મદાત્રીએ લીધો જીવ અને પોતે પણ જીવન ટુંકાવ્યું : કારણ છે અત્યંત સંવેદનશીલ

WhatsApp Image 2022 05 20 at 11.12.31 AM હાર્દિકને કોંગ્રેસમાં રહેતા પણ ન આવડ્યું અને છોડતા પણ નહિ : જીજ્ઞેશ મેવાણી