Ahmedabad News : દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને HCએ ઝટકો આપ્યો છે. જેમાં રિવિઝન અરજી તાર્કિક આધાર વિનાની હોવાનું અવલોકન હાઈકોર્ટે કર્યું છે. આરોપીઓ સામે ફ્રેમ થયેલા ચાર્જીસને રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. ટ્રાયલને વિલંબિત કરવાનો પ્રયાસ હોવાનું અવલોકન હાઈકોર્ટે કર્યું હતું.
સ્પેશિયલ કોર્ટે યોગ્ય રીતે ચાર્જની કામગીરી કરી હોવાનું હાઈકોર્ટે કહ્યું હતું. દૂધસાગર ડેરીના ફંડનો દુરુપયોગ સ્પષ્ટ રીતે દેખાય છે, એમ ણ હાઈકોર્ટે કહ્યું હતું. HCએ અરજદારના વકીલની વચગાળાની રાહતની માગ પણ ફગાવી દીધી હતી. તે સિવાય હાઈકોર્ટે રિવિઝન અરજી ફગાવતા રૂ.10 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.
આ પણ વાંચો:અમદાવાદ સંમેલન પછી, રાહુલ ગાંધી ફરીથી ગુજરાત પહોંચશે અને ‘નવી કોંગ્રેસ’ બનાવવાનું શરૂ કરશે
આ પણ વાંચો:અમદાવાદમાં બેફામ ડમ્પર ચાલકે બાઈકસવારનો લીધો જીવ, શીલજ બોપલ બ્રિજ પર અકસ્માતની ઘટના
આ પણ વાંચો:અમદાવાદમાં ડ્રગ્સને લઈ જુહાપુરામાં અસમાજીક તત્વોએ મચાવ્યો આતંક, 2 થી 3 લોકો ઈજાગ્રસ્ત
