આજની ખાણી-પીણી કંઈક એવી બની ગઇ છે અને બજારમાંથી મળતા પ્રોડક્ટ જે આપણા વાળને ફાયદો નહી પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. જેના કારણે ટાલ પડવાની સમસ્યાઓ વધી ગઇ છે. આજકાલ લોકો આ સમસ્યાથી ખૂબ પરેશાન છે. પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણ કે આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીશું, જેના દ્વારા તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.
આ રેસીપી તૈયાર કરવા માટેની સામગ્રી
એક ચમચી કાલોનજી.
એક ચમચી સરસયુ.
50 મિલી નાળિયેર તેલ.
એક ચમચી ડુંગળીનો રસ.
એસેંશિયલ ઓયલ
આ નુસકાને તૈયાર કરવા માટે, પહેલા એક ચમચી કાલોનજી લો. કાલોનજીને થોડી સેકી લો અને તેનો પાવડર મિક્સરમાં નાખીને તૈયાર કરો. કાલોનજીમાં ઘણી માત્રામાં આયર્ન, પોટેશિયમ અને એમિનો એસિડ હોય છે, આ ત્રણ વાળ માટે ખૂબ ફાયદાકારક છે.
આ પછી, એક ચમચી સરસયુ ધીમી આગ પર શેકવી અને પાવડર તૈયાર કરવા માટે તેને ગ્રાઇન્ડરમાં નાખો. ત્યારબાદ તમારે 50 એમએલ નાળિયેર તેલ લેવાનું રહેશે અને આ તેલ બંનેમાં મિક્સ કરવાનું રહેશે. આ પછી એક ચમચી ડુંગળીનો રસ ઉમેરો. અને તેની અંદર પાંચ ટીપા એસેંશિયલ ઓઇલ નાંખો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.