અમદાવાદ,
કહેવાય છે કે કોઈપણ સંબંધ પરફેક્ટ નથી હોતો પરંતુ તેને પરફેક્ટ બનાવવો પડે છે. સંબંધ ગમે તે હોય, જેની પણ સાથે હોય પરંતુ તેને સંભાળીને રાખવો જરુરી હોય છે. એ વાત સાચી છે કે કોઈપણ રિલેશનશિપની પોતાની જરુરીયાત અને પોતાની અલગ પ્રોબ્લેમ હોય છે. પરંતુ કોઈ પણ સારા રીલેશનશિપ માટે કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી જરુરી છે. તમને એ વાત ખબર હોવી જોઈએ કે તમારો પાર્ટનર તમારી પાસેથી કેવી આશા રાખે છે.
- તમે તેને એ પણ જણાવો કે આ સંબંધ તમારા માટે કેટલો મહત્વનો છે. તમારે એ વાત પણ તમારા મનમાં ફીટ બેસાડી દેવી જોઈએ કે તમારો પાર્ટનર તમારા અને સંબંધોની તમામ જરુરીયાતો પુરી નહીં કરી શકે.જો તમે આ વાત માની લેશો તો તમારા બન્ને વચ્ચે વગર કામનો મનમુટાવ એટલે કે મનભેદની શક્યતા નહીં રહે.
- જો તમને કોઈ સંબંધથી આનંદ મળે છે તો તેની સફળતાની જવાબદારી પણ તમારા પર જ નિર્ભર કરે છે.એટલે સંબંધ ચાહે સાસ-વહુનો હોય કે માતા-પુત્રનો અથવા બે મિત્રોનો કે પછી નવ દંપત્તિનો હોય, કોઈપણ સંબંધમાં વ્યક્તિને એડજસ્ટ થતા આવડવું જોઈએ. તેમજ આપસમાં સમાધાન કાઢી લેવુ જોઈએ. આ માટે તમારે હંમેશા તૈયાર રહેવુ જોઈએ.
- તમારા જીવનસાથીને તેની નબળાઈઓ ક્યારેય ના કહો,કારણકે તેનાથી કદાચ સંબંધોમાં તિરાડ પડવાની શક્યતા વધી જતી હોય છે. તેને તેની નબળાઈ સાથે અપનાવતા શીખી લેવુ જોઈએ.
- તમારા બન્નેના વિચારો અલગ હોઈ શકે છે,પરંતુ એનો મતલબ એવો નથી કે સામેવાળી વ્યક્તિખોટી છે. તમારી વાત તેના પર ક્યારેય થોપી ન બેસાડો અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો અને કઈ વાત સાચી છે તેનું નિરાકરણ લાવો.