દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 29 ઓગ્ટોબર, ગુરૂવાર
- તિથિ – આસો સુદ તેરશ
- રાશિ – મિન (દ,ચ,ઝ,થ)
- નક્ષત્ર – રેવતી
- યોગ – હર્ષણ
- કરણ – તૈતિલ
દિન વિશેષ –
- સવારનું શુભ ચોઘડીયું – 6.45 થી 8.09
- સૂર્યોદયથી બપોરે 3.17 સુધી શુભ
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- આફત હળવી
- વડીલો સાથે સંબંધો સુધરે
- વેપારમાં થોડી નીરસતા રહે
- વિચારોમાં ગંભીરતા જણાય
* વૃષભ (બ,વ,ઉ) –
- અંગોમાં શીથીલતા જણાય
- આળસમાં થોડો ઉમેરો થાય
- સેવા કાર્યો થાય
- બપોર પછી મન થોડું દુઃખી રહે
* મિથુન (ક,છ,ઘ) –
- વેપારમાં પ્રયત્નો વધી જાય
- મહેનત વધુ થાય
- પણ, ધન પ્રાપ્તિના અવસરો સંઘર્ષમય રહે
- વાહનમાં ક્ષતિ સર્જાઈ શકે
* કર્ક (ડ,હ) –
- ભાગ્યનો સાથ મળે
- જીવનસાથીથી લાભ
- માતા સાથે પ્રેમ વધે
- ભાષા ઉપર કાબૂ રાખજો
* સિંહ (મ,ટ) –
- પિતાનો સહકાર મળે
- સાસુનો સહકાર મળે
- પણ, વેપારી મિત્રોને થોડો સંઘર્ષ રહી શકે
- કાર્યમાં સૂઝસમજ ઉમેરાય
* કન્યા (પ,ઠ,ણ) –
- ધન પ્રાપ્તિ રહે
- ભાષાથી લાભ થાય
- જીવનસાથી સાથે નજદીકી વધે
- આરોગ્ય જાળવવું
* તુલા (ર,ત) –
- સ્પષ્ટ રહેજો
- પ્રમાણિકતા વિશેષ ફળ આપશે
- બપોર પછી આરોગ્ય જાળવજો
- સૂર્યનારાયણની ઉપાસના કરજો
* વૃશ્ચિક (ન,ય) –
- સંતાન દ્વારા ભાગ્ય બળવાન બને
- સુખ-સંપત્તિ વધતી જણાય છે
- વાદવિવાદથી બચવું
- નોકરીના સ્થાને થોડો મતભેદ રહે
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- ઘરમાં લાગણીશીલ થઈ જવાય
- થોડું મન દુભાય
- પણ, વિશેષ અશુભ થવાની શક્યતા ઓછી છે
- કઠોર ભાષા બોલાઈ જવાય
* મકર (ખ,જ) –
- જીવનસાથીને પ્રવાસ રહે
- લાભ પણ પ્રાપ્ત થાય
- પોતાની જાત માટે મન વધારે ચિંતીત રહે
- બપોર પછી પ્રેમના આવેગ વધુ રહે
* કુંભ (ગ,શ,સ,ષ) –
- ધનલાભ રહે
- પણ આરોગ્ય જાળવવું
- કૌટુંબિક મતભેદ થઈ શકે
- શરદી-ખાંસીથી સાચવજો
* મિન (દ,ચ,ઝ,થ) –
- કોર્ટ-કચેરીમાં સાનુકૂળતા રહે
- બપોરે 3.00 પહેલા અગત્યના કાર્યો કરવાનો પ્રયત્ન કરવો
- મોડી સાંજે મન વ્યથિત રહી શકે
- તમારું મનોબળ મક્કમ રહેશે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શ્રીમહાલક્ષ્મી દેવીની ઉપાસના કરવી.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.